મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો: મોરબીમાં સરદાર પટેલ જયંતિ નિમિતે નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE











ભ્રષ્ટાચાર બંધ કરોનવું ભારત બનાવો: મોરબીમાં સરદાર પટેલ જયંતિ નિમિતે નિબંધ સ્પર્ધા યોજાઇ
મોરબીમાં સરદાર પટેલ જયંતિ એટલે કે રાષ્ટ્રિય એકતા દિવસનાં અનુસંધાને "આઝાદી કા અમૃત મહોત્સવ" બેંક ઓફ બરોડા તથા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબીનાં સંયુક્ત ઉપક્રમે લોક જાગૃતિ માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરાયેલ હતું જેમાં  ''ભ્રષ્ટાચાર બંધ કરોનવું ભારત બનાવો" વિષય ઉપર યુવાનો દ્વારા નિબંધ લખવામાં આવ્યા હતા

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર-ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી તથા બેંક ઓફ બરોડા દ્વારાં સરદાર પટેલ જયંતિ (રાષ્ટ્રિય એકતા દિવસ) નિમિતે આઝાદીના ૭૫ વર્ષ નિમિતે ઉજવાઇ રહેલા અમૃત મહોત્સવનાં અનુસંધાને લોક જાગૃતિ માટે આ નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવાંમાં આવેલ હતું આ સ્પર્ધા એમ. એમ. સાયન્સ કૉલેજ મોરબી-૨ તેમજ એમ.પી.પટેલ બી.એડ કોલેજ જોધપુર(નદી) ખાતે હતી જેનો વિષય "ભ્રષ્ટાચાર બંધ કરો-નવું ભારત બનાવો" હતો આ નિબંધ લેખન સ્પર્ધામાં કૉલેજનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિજેતા સ્પર્ધકોને રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું તેમાં પ્રથમ ઈનામ ૧૦૦૧દ્વિતીય ઈનામ ૭૫૧ અને તૃતીય ઈનામ ૫૦૧ આપેલ છે તેમ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ.એમ.ભટ્ટ તેમજ દિપેનભાઈ  ભટ્ટે યાદીમાં જણાવેલ છે.






Latest News