મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક શાળામાં “ભાગલા વખતેની ભયાનક યાદો” દર્શાવતું પોસ્ટર પ્રદર્શન યોજાયું


SHARE











મોરબીની સાર્થક શાળામાં “ભાગલા વખતેની ભયાનક યાદો” દર્શાવતું પોસ્ટર પ્રદર્શન યોજાયું

14 ઓગસ્ટે ભારતના ભાગલા થયા હતા અને ભારતમાંથી જ પાકિસ્તાન દેશ અલગ થયો હતો અને તે વખતે બે કરોડથી વધુ લોકો ભારતમાં પ્રભાવિત થયા હતા. અને લગભગ દસ લાખથી પણ વધુ લોકોની ત્યારે હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં મહિલાઓના અપહરણ, મોટા પાયે માલમિલકતને નુકસાન કરવામાં આવ્યું હતું અને લાખોની સંખ્યામાં લોકોનું સ્થળાંતર થયું હતું અને ઘણા લોકોને જે જગ્યાએ રહેતા હતા તેના માલ મિલકત, ધંધા રોજગાર છોડીને જવું પડ્યું હતું. આ ઘટનાઓને શબ્દોમાં સમાવવી પણ મુશ્કેલ બની જાય તેમ છે. ત્યારે ભારતના ભાગલા થયા અને પાકિસ્તનાનો જન્મ થયો તે દિવસની ઘટનાઓને યાદ કરવા અને આજની નવી પેઢીને તે દિવસો સમજાવવા માટે ભારતમાં જુદાજુદા સ્થળે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે આજે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર શાળામાં ભારત સરકારના ઉપક્રમે એસબીઆઇ દ્વારા “ભાગલા વખતેની ભયાનક યાદો” દર્શાવતું પોસ્ટર પ્રદર્શન રાખવામા આવ્યું હતું. આ શાળાના સંચાલક કિશોરભાઇ શુક્લ અને બેકના અધિકારીના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. અને ત્રણ દિવસ માટે મોરબીના દરેક લોકો માટે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લુ રાખવામા આવેલ છે. તેવું શાળાના સંચાલકો પાસેથી જાણવા મળેલ છે.




Latest News