મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક શાળામાં “ભાગલા વખતેની ભયાનક યાદો” દર્શાવતું પોસ્ટર પ્રદર્શન યોજાયું


SHARE







મોરબીની સાર્થક શાળામાં “ભાગલા વખતેની ભયાનક યાદો” દર્શાવતું પોસ્ટર પ્રદર્શન યોજાયું

14 ઓગસ્ટે ભારતના ભાગલા થયા હતા અને ભારતમાંથી જ પાકિસ્તાન દેશ અલગ થયો હતો અને તે વખતે બે કરોડથી વધુ લોકો ભારતમાં પ્રભાવિત થયા હતા. અને લગભગ દસ લાખથી પણ વધુ લોકોની ત્યારે હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં મહિલાઓના અપહરણ, મોટા પાયે માલમિલકતને નુકસાન કરવામાં આવ્યું હતું અને લાખોની સંખ્યામાં લોકોનું સ્થળાંતર થયું હતું અને ઘણા લોકોને જે જગ્યાએ રહેતા હતા તેના માલ મિલકત, ધંધા રોજગાર છોડીને જવું પડ્યું હતું. આ ઘટનાઓને શબ્દોમાં સમાવવી પણ મુશ્કેલ બની જાય તેમ છે. ત્યારે ભારતના ભાગલા થયા અને પાકિસ્તનાનો જન્મ થયો તે દિવસની ઘટનાઓને યાદ કરવા અને આજની નવી પેઢીને તે દિવસો સમજાવવા માટે ભારતમાં જુદાજુદા સ્થળે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે આજે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર શાળામાં ભારત સરકારના ઉપક્રમે એસબીઆઇ દ્વારા “ભાગલા વખતેની ભયાનક યાદો” દર્શાવતું પોસ્ટર પ્રદર્શન રાખવામા આવ્યું હતું. આ શાળાના સંચાલક કિશોરભાઇ શુક્લ અને બેકના અધિકારીના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. અને ત્રણ દિવસ માટે મોરબીના દરેક લોકો માટે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લુ રાખવામા આવેલ છે. તેવું શાળાના સંચાલકો પાસેથી જાણવા મળેલ છે.






Latest News