ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં બાઇકની સફાઈ કરતાં સમયે પડી જવાથી યુવાનનું મોત


SHARE











મોરબીના બેલા નજીક કારખાનામાં બાઇકની સફાઈ કરતાં સમયે પડી જવાથી યુવાનનું મોત

મોરબીના બેલા ગામથી ખોખરા તરફ જવાના રસ્તા ઉપર આવતા સીરામીક કારખાનામાં બાઈકની સફાઈ કરતી વખતે યુવાન પડી ગયો હતો જેથી તેને ઈજા થવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતો આનંદભાઈ મેઘજીભાઈ ગોધવીયા (27) નામનો યુવાન મોરબીના બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ એવેન્સ ગોલ્ડ ટાઇલ્સ નામના કારખાનામાં બાઇકની સફાઈ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે આ યુવાન પડી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી. અને તેની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતક યુવાનના વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેરાવત સીરામીકમાં રહેતો અને ત્યાં કામ કરતો ચિમ માંડોરામ વોમીજ (27) નામના યુવાનને બીમારી સબબ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને બિમારી સબબ તેનું મોત નીપજયું જેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે

યુવાન સારવારમાં

મોરબીના ભડીયાદ રોડ ઉપર રહેતો હેત ભરતભાઈ અઘારા (23) નામનો યુવાન લીલાપર રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ પાસેથી એકટીવા લઈને જતો હતો. ત્યારે એકટીવામાંથી પડી જવાના કારણે તેને ઇજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી






Latest News