મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીના ત્રાસથી કંટાળીને ઘર છોડીને ચાલ્યો ગયેલ યુવાન હેમખેમ મળી આવ્યા પોલીસ-પરિવારને રાહત


SHARE











મોરબીમાં પત્નીના ત્રાસથી કંટાળીને ઘર છોડીને ચાલ્યો ગયેલ યુવાન હેમખેમ મળી આવ્યા પોલીસ-પરિવારને રાહત

વર્તમાન સમયમાં ઘણી વખત આશ્ચર્યજનક કહી શકાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે અને સામાન્ય રીતે પતિ કે સાસરિયાના ત્રાસથી પત્ની ઘર મૂકીને જતી હોય તેવું જોવા અને સાંભળવા મળતું હોય છે. જોકે મોરબી શહેરમાં એક યુવાને તેના પત્નીના ત્રાસથી કંટાળીને ઘરે કોઈને કશું કર્યા વગર નીકળી ગયો હતો. અને તે હેમખેમ મળી આવતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધેલ છે.

ઘણી વખત એવું સાંભળવા મળતું હોય છે કે, પતિ અને સાસરિયાના ત્રાસના કારણે પત્ની ઘર છોડીને ચાલી ગઈ અથવા તો અંતિમ પગલું ભર્યું છે. પરંતુ છેલ્લા વર્ષોથી પત્નીના ત્રાસને લગતી પણ ઘટનાઓ સામે આવવા લાગી છે. તેવામાં મોરબીમાં જ થોડાક સમય પહેલા એક પત્નીએ તેના પતિને તેના ઘરમાં માર માર્યો હતો. તે પ્રકારની ઘટના બની હતી. જે બનાવ સંદર્ભે મામલો પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો. તેવામાં હાલમાં મોરબી શહેરની અંદર એક ઘટના એવી બની છે કે, એક યુવાન પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ચાલ્યો ગયો હતો. જેથી કરીને તેની ગુમસુધા ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયેલ હતી. અને ગુમ થયેલા યુવાનને શોધવા માટે તેના પરિવારજનો અને પોલીસ દ્વારા કવાયત કરવામાં આવતી હતી. તેવામાં તે યુવાન હેમખેમ પરત મળી આવેલ છે. અને તેણે પોલીસને જણાવ્યા મુજબ તેને પોતાની પત્નીનો ત્રાસ હોવાના કારણે તે કોઈને કશું કહ્યા વગર ચાલ્યો ગયો હતો તેવું જણાવ્યું હતું. જે અંગેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના સનાળા રોડ ઉપર જીઆઇડીસીની સામેના ભાગમાં આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો તુષાર ઠાકરશીભાઈ અઘારા (35) નામનો યુવાન મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળા ગામથી આગળ બની રહેલ મેડિકલ કોલેજ સામેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે બાઈકને બ્રેક લગાવતા અચાનક બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી યુવાનને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે.પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News