ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન


SHARE











મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અને દર વર્ષની જેમ આ વર્ષે આગામી તા 29/9 ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવામાં આવશે.

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો. 9 અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ તથા સર્ટીફીકેટ આપવામાં આવશે અને વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. સંસાથના પ્રમુખ જયેશભાઈ કોટેચાએ જણાવ્યુ છે કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તા. 19/9 રાખવામાં આવેલ છે. અને ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે મનોજ ઝેરોક્ષ (કુબેરનાથ મંદિર વાળી શેરી, મોરબી), દરીયાલાલ આલુ ભંડાર (નવાડેલા, રોડ મોરબી) અને કેવિન ગેસ એજન્સી (નવા બસસ્ટેશનની સામે, મોરબી) નો સંપર્ક કરવા જણાવ્યુ છે. આ સન્માન સમારોહ તા. 29/9 ને રવિવારના રોજ લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજાશે. તેવું પ્રમુખ જયેશભાઈ કોટેચા તથા પ્રોજેક્ટ ચેરમેન વિરેનભાઈ પૂજારાએ જણાવ્યુ છે.






Latest News