તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યા યોજાઇ


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યા યોજાઇ

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યાનું મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મસમાજના 6 વર્ષથી લઈને વયોવૃધ્ધ વડિલો સુધીના સહુ કોઈએ ભાગ લીધેલ હતી અને તેના ગીત રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડો. પ્રેયષભાઈ પંડ્યા, ડો. આશિષભાઈ ત્રિવેદી, જગદીશભાઈ દવે તથા ડો બી.કે.લહેરું, નિરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નિમેષભાઈ અંતાણી, પરશુરામ યુવા ગૃપના પ્રમુખ જયદીપભાઈ મહેતા તથા તેની સમગ્ર ટીમ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને રેવાંશ રાવલ, મીરાં દવે, પ્રાપ્તિ જોશી, અનેરી ત્રિવેદી, જય પંડ્યા, હર્ષ પંડ્યા, નિશાંતભાઈ રાવલ, હાર્દિકભાઈ વ્યાસ, કેતનભાઈ જોશી, ફાલ્ગુનીબેન જોશી, શક્તિબેન ત્રિવેદી, નીતાબેન જોશી, પાયલબેન ભટ્ટ, આરતીબેન રાવલ દ્વારા ફિલ્મી, નોન- ફિલ્મી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા પણ સુંદર ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સંચાલન વિસ્મય ત્રિવેદી અને નીરવભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.
 






Latest News