ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પટાંગણમાં રામધૂન બોલવાતા કોંગ્રેસનાં આગેવાનો-કાર્યકરોને ડિટેઇન કરતી પોલીસ !: રજૂઆત કરી પણ ગુનો ?


SHARE











મોરબી પાલિકાના પટાંગણમાં રામધૂન બોલવાતા કોંગ્રેસનાં આગેવાનો-કાર્યકરોને ડિટેઇન કરતી પોલીસ !: રજૂઆત કરી પણ ગુનો ?

મોરબીના જુદાજુદા વિસ્તારમાં લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. જેથી પાલિકામાં રજૂઆતો કરવામાં આવે છે જો કે, પાલિકા દ્વારા રાજુયાતોને ધ્યાને લઈને કોઈ કામ કરવામાં આવતું નથી માટે આજે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવવામાં આવી હતી અને ત્યારે અધિકારી, ભાજપ, ધારાસભ્ય અને સરકારને સદબુદ્ધિ માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

મોરબી શહેરના દરકે વોર્ડમાં લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. જેથી ગંદકીગટરરસ્તાઓરખડતા-રઝળતા પશુઓદૂષિત પાણી સહિતના અનેક પ્રશ્નોથી લોકો ઘરાયેલા છે અને તેના માટે લોકોને છેલ્લા મહિનાઓમાં રજૂઆતો કરેલ હોવા છતાં પણ કોઈ કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી જેથી કરીને લોકોની હેરાનગતિ દૂર થયા અને સિવિધાઓમાં વધારો થાય તે માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઇ કોટડીયા સહિતના કોંગ્રેસનાં આગેવાનોની હાજરીમાં આજે પાલિકામાં રામધૂન બોલાવવામાં આવી હતી

ત્યારે ગટરના ગંદા પાણી, રોડ-રસ્તા, ગટરના ઢાંકણા, તૂટી ગયેલ ગટર, મચ્છરો અને માખીનો ઉપદ્રવ સહિતના અનેક પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને મચ્છર-માખીના લીધે રોગચાળો ફાટી નીકળે તે પહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કોંગ્રેસ માંગ કરેલ છે જો કે, કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા પાલિકાના પટાંગણમાં રામધૂન બોલાવીને અધિકારી, સરકાર, ભાજપ અને ધારાસભ્યને સદબુદ્ધિ માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે હાજર રહેલા પોલીસ અધિકારી દ્વારા કોંગ્રેસનાં 15 જેટલા આગેવાનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા






Latest News