ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈની તંદુરસ્તી માટે રાખેલ માનતા મોરબીના મંગળજીભાઈ સુવાગીયાએ પૂરી કરી


SHARE











રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈની તંદુરસ્તી માટે રાખેલ માનતા મોરબીના મંગળજીભાઈ સુવાગીયાએ પૂરી કરી

મોરબીમાં ત્રાજપર પાસે શ્રી કૃષ્ણ પેટ્રોલિયમ નામે પેટ્રોલ પંપ ધરાવતા મંગળજીભાઈ નાથાભાઈ સુવાગીયાના દીકરા કૃષિતભાઈ અને પુત્રવધૂ ઉર્વશીબેનને ત્યાં પુત્રરત્ન નંદન નો જન્મ થયેલ હોય તેના જન્મોત્સવ નિમિત્તે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે હર્ષોલ્લાસ અને ભોજન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, માજી મંત્રી જયેશભાઈ રાદડિયા, માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવીયા સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને મંગળજીભાઈએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના શુભચિંતક હોય તેઓની નાદુરસ્ત તબિયત હોવાના કારણે તેમણે માનતા રાખી હતી અને તેઓના ઘરે પારિવારિક પ્રસંગમાં આવેલા મંત્રી રાઘવજીભાઈ પટેલની સાથે માટેલ મંદિર ખાતે દર્શન કરવા માટે જઈને મંગળજીભાઈ સુવાગીયા સહિતના ગયા હતા અને ત્યાં તેમણે પોતાની માનતા પૂરી કરી હતી. તેવી માહિતી તેઓના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે






Latest News