તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ: એક શખ્સ સામે ફરિયાદ


SHARE












હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ: એક શખ્સ સામે ફરિયાદ


હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર મજૂરી કામ કરવા માટે તેને આવેલા છોટા ઉદેપુર જિલ્લાના મૂળ રહેવાસી પરિવારની દીકરીનું ગોપાલભાઈ રૂડાભાઈ ઠાકોર શખ્સે લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને બાંધકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું છે. જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે આઈપીસી કલમ 363, 366 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસ ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

હળવદમાં આવેલ લક્ષ્મીનારાયણ ચોક પાસે રહેતા ઋષિરાજ રાજેન્દ્રભાઈ આચાર્ય (37) નામનો યુવાન મોરબીમાં લાલપર ગામ નજીક આવેલ ઓમકાર પેટ્રોલ પંપ પાસે હતો ત્યારે ત્યાં અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી નજીક મારામારિનો બનાવ બન્યો હતો જે બનાવમાં બે વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા જેમાં ગૌરીબેન ભુપતભાઈ રાઠોડ (60) તથા કિંજલબેન દિનેશભાઈ રાઠોડ (16) નો સમાવેશ થયે છે અને તે બંનેને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવી હતી.






Latest News