મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

હળવદમાં એક પખવાડિયાથી ગેરહાજર પોલીસ હેડ કોન્સટેબલ સામે પીઆઇએ નોંધાવી ફરિયાદ


SHARE











હળવદમાં એક પખવાડિયાથી ગેરહાજર પોલીસ હેડ કોન્સટેબલ સામે પીઆઇએ નોંધાવી ફરિયાદ

હળવદ તાલુકામાં પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ પોતાની ફરજ ઉપર છેલ્લા એક પખવાડિયાથી હાજર થયેલ નથી અને ફરજમાં ગેરહાજર પોલીસ કર્મચારીને નોટિસ આપવામાં આવી છતાં પણ તે હાજર થયેલ નથી જેથી હળવદના પીઆઇ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ રાજેશ તુલજાશંકર વ્યાસ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમારની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, પોલીસ કર્મચારી ગત તા. 2/7 થી તા 16/7 ના બપોરના બે વાગ્યા સુધીના સમય દરમિયાન પોતાની ફરજમાં ગેરહાજર રહેલ છે. અને ફરજ ઉપર હાજર થવા માટે એક કે બે નહીં પરંતુ ત્રણ વખત નોટિસની બજવણી કરવામાં આવી છે. તેમ છતાં પણ મનસ્વી રીતે પોતે પોતાની ફરજમાં ગેરહાજર રહેતા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા હેડ કોન્સ્ટેબલની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જીપી એક્ટની કલમ 145 (2) (c) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.પી. વ્યાસ ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના સનાળા રોડે રહેતા ધર્મેશભાઈ રામુભાઈ મિયાત્રા (44) નામનો યુવાન બાઇક લઈને મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર ધર્મેન્દ્ર ટ્રેડિંગ પાસેથી જતો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે તેને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વિપુલભાઈ પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.






Latest News