મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

વાંકાનેરની નર્સરી ચોકડીએથી ઘરે જતી બે બાળકીને બાઇક ચાલકે હડફેટે લેતા બંને સારવારમાં


SHARE











વાંકાનેરની નર્સરી ચોકડીએથી ઘરે જતી બે બાળકીને બાઇક ચાલકે હડફેટે લેતા બંને સારવારમાં

વાંકાનેરની નર્સરી ચોકડી પાસેથી બે બાળકીઓ પોતાના ઘર તરફ જવા માટે થઈને રસ્તો ઓળંગી રહી હતી ત્યારે બાઈક ચાલકે તે બંને બાળકીને હડફેટે લીધી હતી જેથી કરીને બંને બાળકીઓને ફ્રેક્ચર જેવી ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં લઈને ગયા હતા અને ત્યારબાદ હાલમાં ઇજાગ્રસ્ત બાળકીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં નર્સરી ચોકડી પાસે સરકારી ખરાબમાં ઝૂંપડામાં રહેતા ભુરીબેન બકાભાઇ સિંધવ જાતે સરાણીયા (45)એ હાલમાં બાઈક નંબર જીજે 3 ઇજી 419 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની દીકરી વનીતાબેન બકાભાઇ સિંધવ (12) અને તેમના બહેનની દીકરી નયના બાબુભાઈ ચૌહાણ (8) બંને નર્સરી ચોકડી પાસેથી પોતાના ઘર તરફ આવવા માટે થઈને રોડ ઓળંગી રહી હતી દરમિયાન બાઇક ચાલકે વાંકાનેર બાજુથી આવીને આ બંને બાળકીને લીધી હતી અને ત્યારે વનિતાને જમણા પગ અને જમણા હાથમાં ફેકચર જેવી ઈજા થયેલ છે તેમજ નયનાને જમણા સાથળના ભાગે ફેક્ચર જેવી ઇજા થયેલ છે જેથી ઈજા પામેલ બંને બાળકીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે અને ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ વનરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

આધેડનું મોત

મૂળ હરિયાણાના રહેવાસી અને ડ્રાઇવિંગ કામ કરતા પ્રીતમસિંહ કોલારામ જાટ (51) વાળા મોરબીના બંધુનગર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક ટ્રકના પાર્કિંગમાં હતા ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપડતા બેભાન હાલતમાં તેને સારવાર માટે વાંકાનેર લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી ત્યાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News