મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી પાસે ખુંટીયા સાથે બાઇક અથડાતા યુવાનનું મોત


SHARE







મોરબીની પીપળીયા ચોકડી પાસે ખુંટીયા સાથે બાઇક અથડાતા યુવાનનું મોત

મોરબીના નવલખી હાઇવે ઉપર રાતે સાડા બાર વાગ્યાના અરસામાં વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ખૂંટીયા સાથે તેનું બાઇક અથડાતાં અકસ્માત થયો હતો અને યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા. અને આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર પીપળીયા ચોકડી પાસે આવેલ રત્નકલા એક્સપોર્ટ નામના કારખાના પાસેથી જીગ્નેશભાઈ વિનુભાઈ ચાવડા (26) રહે. જય ગોપાલ નળીયાના કારખાનામાં લીલાપર રોડ મોરબી વાળો બાઈક લઈને જતો હતો ત્યારે રાત્રિના સાડા બાર વાગ્યાના અરસામાં રોડ ઉપર ખૂંટીયા સાથે તેનું બાઇક અથડાયું હતું. જે બનાવમાં યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. હાલ તાલુકા પોલીસ મથકના એએસઆઈ જીલુભાઇ ગોગરા તપાસ કરી રહ્યા છે અને તેની પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાન પીપળીયા ચોકડી બાજુ મેલડી મંડળ જોવા માટે ગયેલ હતો અને પરત આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માતનો બનાવ બનેલ છે.

મારામારીમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતો કાનજી દેવજીભાઈ સારેસા (35) નામનો યુવાન મોરબીની ત્રાજપર ચોકડી પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં તેને ઈજા થતાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણાએ કરી હતી

મહિલા સારવારમાં
કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના વણખાણા ગામે રહેતા પૂજાબેન દેવેન્દ્રભાઈ સિંગ (28) નામની મહિલા મોરબી તાલુકાના ગાળા ગામ પાસે હતી ત્યારે ત્યાં ટ્રકમાં આવી જતા તેને અકસ્માતે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ દ્વારા કરવામાં આવી હતી
 






Latest News