મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભોજપરા વાદી વસાહતમાં મંદિર બાબતે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને બે પક્ષ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ


SHARE







વાંકાનેરના ભોજપરા વાદી વસાહતમાં મંદિર બાબતે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને બે પક્ષ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેર નજીક આવેલ ભોજપરા વાદી વસાહતમાં માતાજીના મંદિર બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો. તે બાબતનો ખાર રાખીને સામસામે બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને પક્ષેથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. અને સારવાર લીધા બાદ બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ મોટા ભોજપરા વાદી વસાહતમાં રહેતા વિજયનાથ પોપટનાથ બાભણીયા જાતે વાદી (30)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બહાદુરનાથ સુરમનાથ પરમાર, જલાનાથ બોળાનાથ પરમાર, જાનનાથ સુરમનાથ પરમાર, રોબરનાથ સુરમનાથ પરમાર, કરશનનાથ પોપટનાથ પરમાર અને પોપટનાથ પરમાર રહે. બધા વાદી વસાહત મોટા ભોજપરા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી સાથે આરોપીઓને અગાઉ ધાવડી માતાજીના મંદિર બાબતે ઝઘડો થયેલ હતો તેનો ખાર રાખીને ફરિયાદીને ગાળો આપી હતી. ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા રોબરનાથ પરમારે તેના હાથમાં રહેલ લોખંડનો સળીયો ફરિયાદીને કપાળના ભાગે માર્યો હતો અને બાકીના આરોપીઓએ તેના હાથ પકડી રાખીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં છ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જ્યારે સામા પક્ષેથી જોગનાથ કાળુનાથ પરમાર જાતે વાદી (60)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મીરખાનનાથ સમજુનાથ બાભણીયા, ચેતનનાથ મીરખાનનાથ બાભણીયા અને ધરમનાથ ભોટનાથ બાભણીયા રહે. ત્રણેય વાદી-ભોજપરા, કેશનાથ કાનનાથ બાભણીયા, કરશનનાથ કાનનાથ બાભણીયા અને ભુપતનાથ મીરખાન બાભણીયા રહે. ત્રણેય સારાણા થાન તથા ગોરખનાથ કાનનાથ બાભણીયા અને રમતુનાથ ગોરખનાથ બાભણીયા રહે. જારીયા મહાદેવના બોર્ડ પાસે વાળાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે

જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ માતાજીના મંદિર બાબતે અગાઉ ઝઘડો થયેલ હતો તે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા ઇજા પામેલાઓને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા મીરખાનનાથએ તેના હાથમાં રહેલ લાકડી વડે ફરિયાદીને માથાના ભાગે મારમારીને ઇજા કરી હતી તેમજ ગોરખનાથ અને કેસનાથ દ્વારા લોખંડના પાઇપ વડે પગ અને આંખની બાજુમાં માર મરીને ઈજા કરી હતી. આ આઠેય આરોપીઓ દ્વારા ફરિયાદી તથા સાહેદને લાકડી અને લોખંડના પાઇપ તથા કુહાડી વડે મારમારીને ઈજા કરવામાં આવી હતી. જેથી ઈજા પામેલ ફરિયાદી તેમજ ઝવેરનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News