ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી રવાપર ગામે રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાનું આંચકીની બીમારી અથવા પડી જવાથી મોત


SHARE











મોરબી રવાપર ગામે રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાનું આંચકીની બીમારી અથવા પડી જવાથી મોત

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા અને ઓરડીમાં રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાને આંચકીની બીમારી હતી જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન બીમારી અથવા તો પડી જવાના કારણે તે બાળકનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવની મૃતક બાળકના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ હિરલ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા ગોવિંદભાઇ ચંદુભાઇ બિસ્ટ જાતે નેપાળી (23) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા રિશ્વંત ગોવિંદભાઇ ચંદુભાઇ બિસ્ટ જાતે નેપાળી ઉંમર પાંચ મહિનાનું મોત થયું હોવાનું જાણ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના દીકરાને આંચકીની બીમારી હતી અને ચાલુ સારવાર દરમિયાન તેને રહેણાંક મકાને મૂકીને તેની માતા કામ કરવા માટે ગઈ હતી અને ત્યાંથી પરત આવી ત્યારે બાળકને આંચકી આવેલ હોય તેને સારવાર માટે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન બીમારી અથવા તો પડી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજયું હતું. જે અંગેની મૃતક બાળકના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે રાણીબાગ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ભરતભાઈ હકાભાઇ ઝિંઝવાડીયાને ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી,






Latest News