હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળા અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આપની પદયાત્રા યોજાઇ


SHARE











મોરબી સહિત ગુજરાતમાં આવેલ ખાનગી શાળા અને મેડિકલ કોલેજમાં ચાલુ વર્ષની ફી માં વધારો કરવામાં આવ્યો છે આ ફી વધારો મધ્યમ વર્ગના પરિવારને પરવડે તેમ નથી જેથી કરીને તેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની આગેવાની હેઠળ મોરબીમાં ગાંધી ચોક થી નગર દરવાજા ચોક સુધી બેનરો સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી અને ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલ તેમજ પ્રભારી પંકજભાઈ રાણસરિયાની આગેવાની હેઠળ મોરબીમાં ગાંધી ચોકથી નગર દરવાજા ચોક સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને ચાલુ વર્ષથી મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળાઓ અને મેડિકલ કોલેજોમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે આ ફી વધારો મધ્યમ વર્ગના પરિવારોને પરવડે તેમ નથી જેથી કરીને ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબી શહેર, જિલ્લા અને તાલુકાના આમ આદમી પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ત્યારે ફી વધારો પાછો ખેંચો, ફી વધારો પાછો ખેંચો સહિતના સૂત્રોચાર પણ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા 

વધુમાં આમ આદમી પાર્ટીના આગેવાને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં મોંઘવારી અને મંદી સહિતના અનેક પ્રશ્નોની વચ્ચે લોકો પીસાઈ રહ્યા છે ત્યારે ખાનગી શાળા અને કોલેજોમાં કરવામાં આવેલ ફી વધારાના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે અથવા તો મેડિકલ કોલેજમાં પ્રવેશ ન મેળવી શકે તેવો ઘાટ સર્જાય તેમ છે જેથી વિદ્યાર્થીઓના હિતમાં અને વાલીઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ ફી વધારો પાછો ખેંચવો જોઇએ તેવી માંગ કરવામાં આવી છે.




Latest News