ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગરમાં ખુલ્લી-ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવાની માંગ


SHARE











મોરબીના રામકૃષ્ણનગરમાં ખુલ્લી-ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવાની માંગ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમાં ખુલ્લી ભૂગર્ભ ગટર અને ઉભરાતી ગટરની સમસ્યા આજકાલની નહીં પરંતુ વર્ષોથી છે તેમ છતાં પણ તે સમસ્યાને ઉકેલવા માટે પાલિકા દ્વારા તસ્દી લેવામાં આવતી નથી જેથી અવારનવાર નાના મોટા અકસ્માતો બનતા હોય છે તેવામાં બે દિવસ પહેલા જ રામકૃષ્ણનગર વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે જે ખુલ્લી ભૂગર્ભ ગટર આવેલ છે તે ગટરની અંદર ખૂંટિયો પડી ગયો હતો. જેથી તેને બહાર કાઢવા માટે થઈને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો દ્વારા રેસક્યું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે ખુટીયાને ખુલ્લી ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને અવારનવાર આ વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા હોય છે જેના કારણે લોકોને પોતાના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની જાય છે ત્યારે રામકૃષ્ણનગર વિસ્તારની અંદર ઉભરાતી ગટર અને ઢાંકણા વગરની ભૂગર્ભ ગટરની જે સમસ્યાઓ વર્ષોથી છે તે સમસ્યાઓ ઉકેલવા માટે નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગણી અને લાગણી છે






Latest News