મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગરમાં ખુલ્લી-ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવાની માંગ


SHARE











મોરબીના રામકૃષ્ણનગરમાં ખુલ્લી-ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવાની માંગ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમાં ખુલ્લી ભૂગર્ભ ગટર અને ઉભરાતી ગટરની સમસ્યા આજકાલની નહીં પરંતુ વર્ષોથી છે તેમ છતાં પણ તે સમસ્યાને ઉકેલવા માટે પાલિકા દ્વારા તસ્દી લેવામાં આવતી નથી જેથી અવારનવાર નાના મોટા અકસ્માતો બનતા હોય છે તેવામાં બે દિવસ પહેલા જ રામકૃષ્ણનગર વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે જે ખુલ્લી ભૂગર્ભ ગટર આવેલ છે તે ગટરની અંદર ખૂંટિયો પડી ગયો હતો. જેથી તેને બહાર કાઢવા માટે થઈને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો દ્વારા રેસક્યું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે ખુટીયાને ખુલ્લી ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને અવારનવાર આ વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા હોય છે જેના કારણે લોકોને પોતાના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની જાય છે ત્યારે રામકૃષ્ણનગર વિસ્તારની અંદર ઉભરાતી ગટર અને ઢાંકણા વગરની ભૂગર્ભ ગટરની જે સમસ્યાઓ વર્ષોથી છે તે સમસ્યાઓ ઉકેલવા માટે નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગણી અને લાગણી છે






Latest News