મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપી-એનએસયુઆઈ દ્વારા GMERS મેડિકલ કોલેજની ફી માં કરવામાં આવેલ વધારો પાછો ખેંચવાની માંગ


SHARE











મોરબીમાં એબીવીપી-એનએસયુઈ દ્વારા GMERS મેડિકલ કોલેજની ફી માં કરવામાં આવેલ વધારો પાછો ખેંચવાની માંગ

ગુજરાતમાં આવેલ જીએમઇઆરએસ મેડિકલ કોલેજની વિદ્યાર્થીઓની ફી માં ચાલુ વર્ષથી 70 થી 80 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેથી કરીને નબળા વર્ગના વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાનું સપનું ક્યારે પણ સાકાર થઈ શકે તેમ નથી. માટે આ ફી વધારોનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના રેલ્વે સ્ટેશન નજીક આવેલ જીએમએઆરએસ મેડિકલ કોલેજ ખાતે શુક્રવારે સવારે 11 વાગ્યે એબીવીપીના હોદ્દેદારો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને ત્યાં પહોચ્યા હતા અને ફી વધારો પાછો ખેંચવા માટેની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે મેડિકલ કોલેજના ડિન ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ફી વધારો જે કરવામાં આવ્યું છે તે ફી વધારાને પાછો ખેંચવામાં આવે તેવી માંગણી એબીવીપી દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે 12 વાગ્યાના અરસામાં મોરબી જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એનએસયુઆઈના પ્રમુખની આગેવાની હેઠળ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ડીનને ફી વધારો પાછો ખેંચવા માટે થઈને રજૂઆત કરવામાં આવી હતી. અને આ તકે એનએસયુના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા નકલી 500 ની ચલણી નોટોનો વરસાદ કરીને વિદ્યાર્થીઓની ફી માં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને જો ફી માં કરવામાં આવેલ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં એનએસયુદ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News