મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે સિનિયર સીટીઝનો માટે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ તબીબનો સેમિનાર યોજાશે


SHARE







મોરબીમાં આગામી રવિવારે સિનિયર સીટીઝનો માટે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ તબીબનો સેમિનાર યોજાશે

મોરબીની સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા અવારનવાર સિનિયર સિટીઝનો માટે ઉપયોગી તેવા કાર્યક્રમો કરવામાં આવે છે.જે પૈકી આગામી રવિવારે પણ વૃદ્ધોને વૃદ્ધાવસ્થામાં લાગુ પડતા રોગોની જાણકારી માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે.

મોરબી સિનિયર સીટીઝન સંસ્થા તરફથી આગામી તા.૭ ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે ધન્વન્તરિ ભવન, કાયાજી પ્લોટ ખાતે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ એટલે કે વૃધ્ધોને લગતા રોગો નિષ્ણાંત એવા ડો.પુનિતભાઈ પડસુંબિયાનું જનરલ વેલડયુગ ઉપર પ્રશ્નોતરી સાથે લેકચર રાખેલ છે.તથા લેકચર બાદ અગ્રણી ઉદ્યોગપતિ ચુનિભાઈ રાજપરા તરફથી ભોજનની વ્યવસ્થા રાખેલ છે.જેથી સિનિયર સીટીઝન સંસ્થાના તમામ સભ્યને હાજર રહેવા પ્રમુખ ડો.બી. કે.લહેરૂ, ઉપ પ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.






Latest News