ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી બજારમાં પ્લાસ્ટિક જેવા દેખાતા ફોર્ટિફાઈડ ચોખા ખાવાથી કોઈ નુકશાન નહિ: અધિકારી


SHARE











મોરબી બજારમાં પ્લાસ્ટિક જેવા દેખાતા ફોર્ટિફાઈડ ચોખા ખાવાથી કોઈ નુકશાન નહિ: અધિકારી

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) અનુસાર, તમારા ચોખામાં જોવા મળતા પ્લાસ્ટિક જેવા દાણા ફોર્ટિફાઈડ ચોખા હોઈ શકે છે. FSSAI ના નિર્દેશ મુજબ ચોખામાં યોગ્ય માત્રામાં સૂક્ષ્મ પોષકતત્વો ઉમેરવામાં આવી રહ્યા છે. આ ચોખાને ફોર્ટિફાઇડ રાઇસ કહેવામાં આવે છે. ફોર્ટિફાઇડ ચોખાના અનાજ ચોખાના પાવડર અને વિટામિન બી 12, ફોલિક એસિડ અને આયર્ન જેવા સૂક્ષ્મ પોષકતત્ત્વોને યોગ્ય માત્રામાં જોડીને બનાવવામાં આવે છે. FSSAI માને છે કે ફોર્ટિફાઇડ ચોખાના એક દાણાને સામાન્ય ચોખાના ૧૦૦ દાણા એટલે કે ૧:૧૦૦ ના ગુણોત્તરમાં મિશ્રિત કરવામાં આવે છે.

ફોર્ટિફાઈડ ચોખા થોડા કડક હોય છે પણ તે પ્લાસ્ટિક નથી. હકીકતમાં, પોષક તત્ત્વો ભેળવ્યા પછી, ફોર્ટિફાઇડ ચોખાનો રંગ અને આકાર થોડો અલગ થઈ જાય છે અને તે પ્લાસ્ટિક જેવો દેખાય છે. આટલું જ નહીં, તેને બનાવ્યા પછી થોડા કઠણ પણ દેખાય છે જેનાથી તમે બોલ પણ બનાવી શકો છો. રાંધેલા ચોખામાં ૮૦ ટકા સ્ટાર્ચ હોય છે અને તેમાં કાર્બોહાઈડ્રેટ્સ અને પોટેશિયમ પણ વધુ હોય છે, જે તેને ચીકણું બનાવે છે. આ ચોખાને સંગ્રહિત કરવાની અને રાંધવાની પદ્ધતિ પણ સામાન્ય ચોખા જેવી જ છે. અલબત્ત તે અલગ-અલગ દેખાય છે પરંતુ તેમનો સ્વાદ પણ સામાન્ય ભાત જેવો જ હોય છે. ફોર્ટિફાઇડ ચોખાને રોજિંદા આહારમાં સામેલ કરવા જોઈએ જેથી તમને યોગ્ય પોષણ મળે. ધ્યાનમાં રાખો કે આ ચોખામાં વિટામિન બી 12, ફોલિક એસિડ અને આયર્ન જેવા શરીર માટે જરૂરી પોષક તત્વો હોય છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે જે બાબત ધ્યાનમાં લેવા મોરબી જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News