ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વૃક્ષનું વાવેતર કરીને એક વૃક્ષ માઁ કે નામ # કરીને દરેક લોકો સોશ્યલ મીડિયામાં ફોટો મૂકે તો વૈશ્વિક લેવલે નોંધ લેવાશે:  સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા


SHARE











વૃક્ષનું વાવેતર કરીને એક વૃક્ષ માઁ કે નામ # કરીને દરેક લોકો સોશ્યલ મીડિયામાં ફોટો મૂકે તો વૈશ્વિક લેવલે નોંધ લેવાશે:  સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા

મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિ અને ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા “ચાલો ગાવ કી ઓર પ્રકૃતિ કે સાથ” અભિયાન મોરબી જીલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે અને તેની શરૂઆત મોરબી તાલુકાનાં બરવાળા ગામથી કરવામાં આવી છે ત્યારે રાજકોટ સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, વિનુભાઈ રૂપાલા, ડી.એલ. રંગપરીયા, જયંતીભાઈ પટેલ, બગથળા નકલંક ધામના મહંત દામજી ભગત, સંસ્કારધામના શાસ્ત્રી સ્વામી જગત પ્રકાશ સ્વામી, સરપંચ ભરતભાઈ બાવરવા સહિતના હાજર રહ્યા હતા અને ગામમાં એક હજાર લોકોની વસ્તી છે જેથી એક હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો. અને આ વૃક્ષોનું જતન ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવશે. ત્યારે સંસાથના પ્રમુખ મનુભાઈ કૈલા, કમલેશભાઈ કૈલા અને જયંતીભાઈ વિડજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 10 હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. અને આગામી 20 દિવસમાં 15 લાખના ખર્ચે 70 ગામોમાં પાંજરા સાથે 3000 જેટલા વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે કામમાં ગામના જ સ્વયં સેવકો સહકાર આપશે જેથી મોરબી જિલ્લાના હરિયાળી ક્રાંતિ આવશે. આ તકે સાંસદ પરષોત્તમભાઇ રૂપાલાએ કહ્યું હતું કે, વૃક્ષનું વાવેતર કરીને “એક વૃક્ષ માં કે નામ” હેઝટેગ કરીને દરેક લોકો તેના ફોટો સોશ્યલ મીડિયામાં મૂકશે તો તેનું પરિણામ ખૂબ જ સારું અને અક્લ્પ્નિય આવશે તેમજ વૈશ્વિક લેવલે તેની નોંધ લેવામાં આવશે.  






Latest News