ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કોન્ટ્રાક્ટર એસો.એ અધિકારીના ત્રાસથી કોન્ટ્રાક્ટરના આપઘાત કેસમાં કડક પગલાં લેવા કરી માંગ


SHARE











મોરબીમાં કોન્ટ્રાક્ટર એસો.એ અધિકારીના ત્રાસથી કોન્ટ્રાક્ટરના આપઘાત કેસમાં કડક પગલાં લેવા કરી માંગ

ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસો.ના સભ્યએ કરેલ કામના બિલ માટે અનેક વખત માંગણી કરી હતી તો પણ સરકારી અધિકારી દ્વારા તેનુ કરેલ કામનું બિલ આપવામાં આવ્યું ન હતું જેથી તેને આત્મહત્યા કરી હતી આ બનાવ સંદર્ભે મોરબી જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કોન્ટ્રાકટરની આત્મહત્યા પાછળ જે અધિકારી જવાબદાર હોય તેની સામે આકરા પગલાં લેવામાં આવે અને મૃતકના પરિવારને તાત્કાલિક તેના બાલી બિલની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબી જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસો. ના હોદેદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસો.ના સભ્ય કનુભાઈ પટેલે ગત તા. 15 જૂનના રોજ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. કેમ કે, કનુભાઈ પટેલે સરકારી કામ રાખીને તે કામ કરી આપ્યું હતું તો પણ તેનું બિલ ચૂકવવામાં આવ્યું ન હતી અને અનેક વખત માંગણી કરી હતી. તો પણ બાકી બિલની રકમ આપવામાં આવી ન હતી જેથી કરીને નાણાકીય ભીડના કારણે તેને આત્મહત્યા કરી લીધેલ છે અને આ અંતિમ પગલું ભરતા પહેલા તેને અધિકારીને પણ નાણાકીય ભીડની જાણ કરી હતી તો પણ અધિકારીએ તેમની વાતને ગંભીરતાથી લીધી ન હતી.

વધુમાં જણાવ્યુ હતું કે, અધિકારી બિલ કાઢવા માટે ઉચી ટકાવારીની માંગણી કરતાં હતા અને કામ ચાલુ હોવા છતાં ખોટી નોટિસ આપીને કનુભાઈ પટેલને માનસિક ત્રાસ આપતાં હતા અને અમાનવીય વર્તન કરતાં હતા. જેથી આવા અધિકારીની સામે શિક્ષાત્મક પગલાં લઈને કડક સજા કરવામાં આવે તેવી કોન્ટ્રાક્ટર્સ એસો. દ્વારા મોરબીના કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. અને મૃતક કનુભાઈ પટેલના બાકી બિલના નાણા વહેલમાં વહેલી તકે તેના પરિવારને આપવામાં આવે તેવી માંગ કરી છે અને કોન્ટ્રાક્ટરને કરેલ કામના બિલની રકમનું ચૂકવણું દર મહિને કરવામાં આવે, સબ કોન્ટ્રાક્ટરને હાલના નિયમમાં ફેરફાર કરીને કાયદેસરની માન્યતા આપવામાં આવે અને જિલ્લા પંચાયતમાં નવી ચાલુ કરેલ એપને બંધ કરીને કોન્ટ્રાક્ટરોને ઓફ લાઈન બિલનું ચુકવણું કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે.






Latest News