ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં અમુક તલાટી કમ મંત્રીઓ ફરજમાં બેદરકારી રાખતા હોય લોકો હેરાન: ટીડીઓને કરાઇ રજૂઆત


SHARE











મોરબી તાલુકામાં અમુક તલાટી કમ મંત્રીઓ ફરજમાં બેદરકારી રાખતા હોય લોકો હેરાન: ટીડીઓને કરાઇ રજૂઆત

મોરબીના ગામડાઓમાં લોકોના કામ ઝડપથી કરવામાં આવે તેના માટે તલાટી કમ મંત્રીને મૂકવામાં આવે છે જો કે, અમુક તલાટી કામ મંત્રીઓ કામ કરતાં નથી અને ફરજમાં બેદરકારી રાખે છે. જેથી લોકો હેરાન થાય છે. તેવી મોરબીના ટીડીઓને સામાજિક કાર્યકર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં મોરબીમાં આવેલ ક્રાંતિજયોત ખાતે રહેતા સામાજિક કાર્યકર મિલનભાઈ સોરીયાએ મોરબીના ટીડીઓને લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના ગામડાઓમાં  ગ્રામ પંચાયત ખાતે મૂકવામાં આવેલ તલાટી કમ મંત્રીમાંથી અમુક ફરજના સમયગાળા દરમિયાન ગ્રામ પંચાયત કચેરીએ હાજર રહેતા નથી, અરજદારો આવકના દાખલા, વારસાઈ આંબા કે અન્ય કામ ઝડપથી કરી આપતા નથી અને સંતોષકારક જવાબ પણ આપતા નથી. અને અરજદારોને ધક્કા ખવડાવે છે. આટલું જ નહીં અમુક તલાટી કમ મંત્રીઓ મોરબીમાં પ્રાઈવેટ ઓફિસો ચલાવી છે. જેથી ફરજ ઉપર નિયમિત હાજર રહેતા નથી અને અમુક વારે જ ઓફિસે આવે છે. તેવી પણ ચર્ચા છે. જેથી આ સામાજિક કાર્યકરે ટીડીઓ પાસેથી તલાટી કમ મંત્રીઓનો ગ્રામ પંચાયત કચેરીમાં ફરજનો સમયગાળો શું છે ?, અઠવાડિયામાં ક્યાં દિવસે તાલુકા પંચાયત કચેરીએ તલાટી કમ મંત્રી સાથે મિટીંગનું આયોજન કરવામાં આવે છે ?, તલાટી કમ મંત્રી રજા ઉપર હોય તો ગ્રામ પંચાયત કચેરીએ રજા રિપોર્ટ કરવામાં આવે છે કે કેમ ? વિગેરે જેવી માહિતી માંગવામાં આવેલ છે.






Latest News