મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદમાં પોલીસની ફરજમાં રૂકાવટના કેસમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા આદેશ


SHARE











હળવદમાં પોલીસની ફરજમાં રૂકાવટના કેસમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા આદેશ

હળવદ તાલુકા પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીને માર મારવાનો ગુનો નોંધાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા માટે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ કોર્ટે આદેશ કર્યો છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાવેશભાઈ માવાભાઈ મિયાત્રાએ રાયધન છગનભાઈ કોળી, સાગર રાયધનભાઈ કોળી, સંજય ઉર્ફે સંજો રાયધનભાઈ કોળી અને અજાણ્યો ઇસમ જે ધીરૂભાઈ માવસંગભાઈ અસ્વાર રહે. સુંદરગઢ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરિયાદી પોલીસ ખાતામાં ફરજ બજાવતા હોય તેની ફરજમાં રૂકાવટ કરી ડાબા હાથે કલાઈના ભાગે લાકડા મારીને ફ્રેકચર જેવી ઇજા કરી હતી જેથી પોલીસ કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આ કેસમાં ચાર્જશીટ કરવામાં આવતા કેસ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત ડીસ્ચાર્જની અરજી કરી હતી જેમાં સીઆરપીસી કલમ ૧૯૫ નો બાર હોવાની રજૂઆત કરતા આરોપીને ડીસ્ટ્રીકટ જજ દ્વારા બિન તહોમત છોડી મુકવાનો હુકમ કરેલ છે  આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા), મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા




Latest News