મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે સ્વાગત પરિચય, સમીક્ષા બેઠક, આચાર્ય પ્રશિક્ષણ, સારથી મિટિંગ સહિતના કાર્યક્રમો યોજાયા


SHARE







મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે સ્વાગત પરિચય, સમીક્ષા બેઠક, આચાર્ય પ્રશિક્ષણ, સારથી મિટિંગ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.જેમાં બાળકો અને શિક્ષકોને તાલીમ તેમજ વિદ્યાર્થીઓને લેવા મુકવા આવતા સારથી ભાઈઓને માર્ગદર્શન સહિતનાઓ માટે કાર્યક્રમ યોજાયા હતા.

સ્વાગત પરિચય દિવસ-સમીક્ષા બેઠક

નવા વર્ષે પ્રથમ શૈક્ષણિક સત્રની  શરૂઆત થઈ ત્યારે સાર્થક વિદ્યામંદિરમાં  સમુહ પ્રાર્થના પ્રસાદી તિલક પરિચય દ્વારા સંગીતમય શરૂઆત થઈ અને દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો એ ઉત્સાહભેર નવા વર્ષને વધાવ્યું હતું. સ્વાગતની સાથે સાથે પરિચય દિવસ પણ ઉજવાયો હતો.સુરક્ષા, સલામતી અને સ્વચ્છતા સાથે શ્રેષ્ઠ અને સર્વાંગી શિક્ષણ મળી રહે તે માટે સાર્થક વિદ્યામંદિરમાં વિવિધ પ્રકારના આયોજન,સેમીનાર પ્રશિક્ષણ, વર્કશોપ થયા હતા. તેમજ ઉમિયાધામ માનવ મંદિર ખાતે સાર્થક વિદ્યામંદિરના તમામ જુના-નવા આચાર્યોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.જેમાં ગત વર્ષના કાર્યક્રમો, એક્ટિવિટી, મેળવેલ સિદ્ધિઓ, ક્ષતિઓ, થયેલ આયોજન, અભ્યાસ અંતર્ગત ચિંતન કરવામાં આવ્યું હતું.

આચાર્ય પ્રશિક્ષણ

દર વખતે ની જેમ આ વખતે પણ વર્ષના આરંભે ત્રણ દિવસીય ટીચર્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રથમ દિવસે પરિચય બેઠક રાખવામાં આવી હતી.આ દિવસે તમામ નવા આચાર્યનો પરિચય તેમજ શાળાના કાર્યો અંતર્ગત શૈક્ષણિક ,બિનશૈક્ષણિક અને વહીવટી માહિતી આપવામાં આવેલી હતી. તમામ આચાર્યો શાળાના વિજન અને મીશન અંગે માહિતગાર થયા હતા.બીજા દિવસે ત્રણ વક્તાઓ દ્વારા બૌદ્ધિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. "શિક્ષક અને અધ્યાત્મ વિષય ઉપર દિગંતભાઈ ભટ્ટ ,"શિક્ષક અને પ્રવૃત્તિ"  વિષય ઉપર જયેશભાઈ વાઘેલા(એમસીડી) અને "શિક્ષક અને બદલાતો યુગ" વિષય ઉપર હરેશભાઈ ધોળકિયા(લેખક) એ અદભુત માહિતી આપી હતી.ત્રીજા દિવસે વિદ્યાલયની તમામ પદ્ધતિ નિયમો સમજાવતું સત્ર એટલે કે "સાર્થકનું સાર્થકત્વ" યોજવામાં આવ્યું હતું જેમાં ગ્રુપ મિટિંગ દ્વારા શાળાના નિયમો સમજાવી એનું પાલન કરવાના શપથ લીધા હતા.

સારથી મિટિંગ

શાળામાં બાળકોને લેવા-મુકવાનું મહત્વનું કાર્ય સંભાળતા વાહનચાલકોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં રોડ સેફટીના વિવિધ નિયમો, રાખવાની થતી તકેદારીઓ, નિયમો પ્રમાણે ડોક્યુમેન્ટ્સ તેમજ સાધનો, આકસ્મિક સમયે લેવાના નિર્ણયો વગેરે મુદ્દાઓને ભારપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.

ફાયર સેફટી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ

ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ નિયમો તેમજ વિવિધ પ્રકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી.હાલ પૂરતું શાળા સાથે સંકળાયેલ વ્યક્તિઓને આ માહિતી આપવામાં આવી હતી.આ ટ્રેનિંગ આગામી સમયમાં વિદ્યાર્થીઓને પણ આપવામાં આવશે.






Latest News