હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારીએ ભાજપના સાંસદને કર્યા વિકાસલક્ષી અણીદાર સવાલ !


SHARE











મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારીભાજપના સાંસદને કર્યા વિકાસલક્ષી અણીદાર સવાલ !

મોરબીમાં વર્ષો જૂના પ્રશ્નો આજની તારીખે પણ ઊભા છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં વિજય પછી પહેલી વખત મોરબી આવેલા સંસદને આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના પ્રભારી દ્વારા કેટલાક અણીદાર સવાલો કરવામાં આવેલ છે જેની જવાબ કામ કરીને આગામી દિવસોમાં નહીં આપવામાં આવે તો તેની પાસેથી જાગૃત નાગરિક તરીકે હિસાબ લેવામાં આવશે તેવી ટકોર કરી છે

મોરબી માળીયા વિધાનસભાના આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર તેમજ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા દ્વારા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને અણીદાર સવાલ પુછવામાં આવેલ છે જેના તેને કહ્યું છે કે, કચ્છ મોરબી બેઠક ઉપર વિનોદભાઈ ચાવડાનો વિજય થતા મોરબી જીલ્લામા તેમના સત્કાર સંભારંભનું આયોજન થવા જઈ રહ્યું હતું ત્યારે મોરબીની જનતાએ છેલ્લા ૧૦ વર્ષ શાસન આપ્યું અને વધુ પાંચ વર્ષ આપેલ છે ત્યારે મોરબીને શું આપવામા આવ્યું ? લાતી પ્લોટ વિસ્તારના ગટરના પાણીના નિકાલનું અને રોડ રસ્તાનું સમાધાન ક્યારે ?, મોરબીના લોકોને સારા રસ્તા ક્યારે ?, મોરબીના બાળકો માટે ફરવા લાયક સ્થળ કે બાગબગીચા ક્યારે ?, વરસાદના પાણીના યોગ્ય નિકાલ ક્યારે ?, શાક માર્કેટ પાછળના વેપારીના પ્રશ્નોનું સમાધાન ક્યારે ?, માળીયા તાલુકાને કેનાલના પાણી ક્યારે મળશે ?, મોરબીના ક્યા પ્રશ્નો તમે સાંસદ ભવન મા ઉપડ્યા ? આવા અણીદાર સવાલ મીડિયાના માધ્યમથી સાંસદને કરવામાં આવેલ છે અને આગામી સમયમાં હવે જાગૃત નાગરિક તરીખે કામોના હિસાબ સાંસદ પાસેથી પણ લેવામા આવશે તેવું પંકજભાઈ રાણસરીયાએ અંતમાં જણાવ્યુ છે






Latest News