હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

માળીયા-હળવદના ખેડૂતોને કંપની પાસેથી યોગ્ય વળતર મળે તે માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











માળીયા-હળવદના ખેડૂતોને કંપની પાસેથી યોગ્ય વળતર મળે તે માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત

માળીયા-હળવદ તાલુકામાં ખેડૂતોના ખેતરોમાંથી ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન નીકળે છે જો કે, ખેડૂતોને કંપની દ્વારા યોગ્ય વળતર આપવામાં આવેલ નથી જેથી કરીને આ બાબતે અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ જવાબ મળતો નથી જેથી ખેડૂતોએ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને લેખિત રજૂઆત કરી હતી જેના આધારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેના માટે રજૂઆત કરી છે

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમારીયાએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, માળીયા-હળવદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોએ ભારત સરકારના જાહેર સાહસ પાવરગ્રીડની ગૌણ કંપની પાવરગ્રીડ ખાવડા-૧૧-બી ટ્રાન્સમીશન લી. દ્રારા ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન કે જે ખેડૂતોના ખેતરોમાંથી નિકળે છે તો પણ ખેડૂતોને સરકારના ધારા-ધોરણ મુજબ યોગ્ય વળતર મળેલ નથી જે અંગેની ખેડૂતો દ્વારા કલેક્ટર અને તથા લગત તમામ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ ખેડૂતોને હજુ સુધી કોઈ યોગ્ય જવાબ મળેલ નથી. જેથી કરીને ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન જે ખેડૂતોના ખેતરોમાંથી નિકળે છે તેઓને માપ-સાઇઝ પ્લાન સહી વાળા દસ્તાવેજો મેળવવા તથા યોગ્ય વળતર મેળવવા તેઓને લેખીતમાં રજૂઆત કરેલ છે જેથી યોગ્ય સૂચના અપાઈને કાર્યવાહી કરવામાં આવે તેઓ રજૂઆત કરેલ છે






Latest News