મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા-હળવદના ખેડૂતોને કંપની પાસેથી યોગ્ય વળતર મળે તે માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







માળીયા-હળવદના ખેડૂતોને કંપની પાસેથી યોગ્ય વળતર મળે તે માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત

માળીયા-હળવદ તાલુકામાં ખેડૂતોના ખેતરોમાંથી ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન નીકળે છે જો કે, ખેડૂતોને કંપની દ્વારા યોગ્ય વળતર આપવામાં આવેલ નથી જેથી કરીને આ બાબતે અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ જવાબ મળતો નથી જેથી ખેડૂતોએ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને લેખિત રજૂઆત કરી હતી જેના આધારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેના માટે રજૂઆત કરી છે

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમારીયાએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, માળીયા-હળવદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોએ ભારત સરકારના જાહેર સાહસ પાવરગ્રીડની ગૌણ કંપની પાવરગ્રીડ ખાવડા-૧૧-બી ટ્રાન્સમીશન લી. દ્રારા ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન કે જે ખેડૂતોના ખેતરોમાંથી નિકળે છે તો પણ ખેડૂતોને સરકારના ધારા-ધોરણ મુજબ યોગ્ય વળતર મળેલ નથી જે અંગેની ખેડૂતો દ્વારા કલેક્ટર અને તથા લગત તમામ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ ખેડૂતોને હજુ સુધી કોઈ યોગ્ય જવાબ મળેલ નથી. જેથી કરીને ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન જે ખેડૂતોના ખેતરોમાંથી નિકળે છે તેઓને માપ-સાઇઝ પ્લાન સહી વાળા દસ્તાવેજો મેળવવા તથા યોગ્ય વળતર મેળવવા તેઓને લેખીતમાં રજૂઆત કરેલ છે જેથી યોગ્ય સૂચના અપાઈને કાર્યવાહી કરવામાં આવે તેઓ રજૂઆત કરેલ છે






Latest News