મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના ભાઈ-બહેનોને અંધજનનાં વાસ્તવિક જીવન ઉપર બનેલ ફિલ્મ બતાવવામાં આવી


SHARE











મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના ભાઈ-બહેનોને અંધજનનાં વાસ્તવિક જીવન ઉપર બનેલ ફિલ્મ બતાવવામાં આવી

મોરબીનાં લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા ૧૧ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ચાલે છે તેની સાથે છેલ્લા ૭ વરસથી સિદ્ધાર્થ જોષી જોડાયેલ છે અને તેમની કાર્યશેલી આગવી સુજબુજ તેમજ દીર્ઘ દ્રષ્ટિથી સંસ્થાને અને અંધજનોને અલગ મુકામ સુધી પોહચાડ્યા છે આજના સમયમાં કોઇ માટે સમય કાઢવો તે ખુબ અઘરી વાત છે જ્યારે સિદ્ધાર્થભાઈ પોતાનો મોટા ભાગનો સમય સંસ્થા પાછળ ખર્ચી નેત્રહીનોના વિકાસ પાછળ લગાડે છે. અને તાજેતરમા અંધજનનાં વાસ્તવિક જીવન ઊપર બનેલી ફિલ્મ “Srikanth” ને મોરબી શહેર તરફથી કોઇ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. આ ફિલ્મ તેમણે જોઈ અને મનોમન સંસ્થામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ ભાઈ અને બહેનોને ફિલ્મ બતાવવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ આ ફિલ્મ થોડા જ દિવસમાં સિનેમામાથી ઉતરી ગયેલ હતી તેમને ખાસ ક્લબ ૩૬ નાં ઓનર રાજુભાઈ સાથે વાત કરી સ્પેશિયલ પ્રજ્ઞાચક્ષુઓ માટે આ ફિલ્મને મંગાવી અંધજનોને આ ફિલ્મ બતાવી હતી અને અંધજનો પણ આ ફિલ્મ જોવા માટે આતુર હતા અને ફિલ્મ જોયા બાદ તેમના મુખ ઊપર એક અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું  તેમજ સંસ્થાના ટ્રસ્ટી તેજશભાઈ બારા તમામને નાસ્તો કરાવવામાં આવ્યો હતો




Latest News