હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે કારખાનામાં ત્રણ યુવાનોને ઇલેક્ટ્રીક શોર્ટ લગતા એકનું મોત, બે સારવારમાં


SHARE











મોરબીના પીપળી પાસે કારખાનામાં ત્રણ યુવાનોને ઇલેક્ટ્રીક શોર્ટ લગતા એકનું મોત, બે સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામની સીમમાં સીરામીક કારખાનામાં માટી ખાતાની અંદર બોયલ મીલ પાસે ત્રણ યુવાન કામ કરી રહ્યા હતા ત્યારે સ્લરીના કૂવામાં ઉતરીને માટી સાફ કરતા સમયે કોઈ કારણોસર ત્રણેયને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત નીપજયું હતું અને બે યુવાન સારવારમાં છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના પત્ની દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામની સીમમાં આવેલ વોલેન્ટો સિરામિક કારખાનામાં મજૂરની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરીકામ કરતાં વેલ્સર ઇન્દ્રસીંઘ અજનાર (૨૪), ઇવાન બરદે (૩૬) અને આશારામ સલકારીયા (૩૬) નામના ત્રણ યુવાનો કારખાનામાં માટી ખાતાના બોયલ મીલ પાસે આવેલ સ્લરીના કૂવામાં ઉતરીને માટી સાફ કરતાં હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે આ ત્રણેય યુવાનોને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે ત્રણેય યુવાનનોને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે વેલ્સર ઇન્દ્રસીંઘ અજનાર મૃત જાહેર કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પત્ની નારદાબેન વેલ્સર અજનાર (૨૨) રહે. હાલ વોલેન્ટો સિરામિક કારખાનામાં મજૂરની ઓરડી મૂળ રહે. એમપી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વસીયાણી ચલાવી રહ્યા છે






Latest News