ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામેથી ગુમ થયેલા વૃદ્ધનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


SHARE











વાંકાનેરના લાકડધાર ગામેથી ગુમ થયેલા વૃદ્ધનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ

વાંકાનેરના લાકડધાર ગામમાંથી ચાર દિવસ પહેલા બાઇક લઇને ગયેલા વૃદ્ધ ઘરે પાછા આવેલ ન હતા જેથી કરીને તે વૃદ્ધને શોધવામાં આવી રહ્યા હતા તેવામાં વૃદ્ધનો વિઠ્ઠલપર ગામના તળાવ પાસેથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને જેથી કરીને વૃદ્ધના બોડીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને હાલમાં વીસેરા લઈને આગળની તપાસ કરવામાં આવી રહી છે

જાણવા મળતી વિગતો વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા હીરાભાઈ ધનાભાઈ અણિયારીયા જાતે કોળી (૫૮) ની કોહવાઈ ગયેલ હાલતમાં વિઠ્ઠલપર ગામની સીમ લાકડધાર રોડ ઉપર આવેલ જીએસઈસીએલ પાવર પ્લાન્ટ પાસે તળાવમાંથી ડેડબોડી મળી આવી હતી જેથી કરીને ત્યાંથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની વધુ તપાસ વાંકાનેરના જે.જી ઝાલા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, લાકડધાર ગામના હીરાભાઇ ધનાભાઇ અણીયારીયા ગત તા. ૩૦ ના રોજ ઘરેથી બાઇક લઈને બહાર ગયા હતા અને મોડી રાત સુધી પરત આવ્યા ન હતા જેથી તેની શોધખોળ પરિવાર દ્વારા કરવામાં આવી રહી હતી અને દરમિયાન વિઠ્ઠલપર ગામની સીમ લાકડધાર રોડ ઉપર આવેલ તળાવમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં તેની ડેડબોડી મળી આવી હતી અને જાનવર દ્વારા તેની બોડીને ફાડી ખાવામાં આવી હોવાથી હીરાભાઇના બોડીને ફોરેનસિકમાં લઈ જવામાં આવેલ છે અને તેના વીસેરા લેવામાં આવેલ છે તેવી માહિતી પોલીસ પાસેથી જાણવા મળેલ છે






Latest News