હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાન્સપોર્ટરને તેના પૂર્વ કર્મચારી સહિત ત્રણ શખ્સે ધંધાનો ખાર રાખીને લોખંડની ટામી વડે માર માર્યો


SHARE











મોરબીમાં ટ્રાન્સપોર્ટરને તેના પૂર્વ કર્મચારી સહિત ત્રણ શખ્સે ધંધાનો ખાર રાખીને લોખંડની ટામી વડે માર માર્યો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામની સીમમાં સીરામીક કારખાનામાં માટી ખાતાની અંદર બોયલ મીલ પાસે ત્રણ યુવાન કામ કરી રહ્યા હતા ત્યારે સ્લરીના કૂવામાં ઉતરીને માટી સાફ કરતા સમયે કોઈ કારણોસર ત્રણેયને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત નીપજયું હતું અને બે યુવાન સારવારમાં છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના પત્ની દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ચંન્દ્રેશનગર મુનનગર ચોક પાસે આરાધના-૦૧ ત્રીજા માળે બ્લોક નંબર ૩૦૨ માં રહેતા નરેન્દ્રસિંહ પોપટભા ગોહિલ જાતે રાજપુત (૪૮) એ હાલમાં વનરાજભાઈ હુંબલ રહે. આરાધના-૦૨ સાતમા માળે ચંન્દ્રેશનગર મુનનગર ચોક મોરબી, હુશેનભાઈ અને જગાભાઈની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી પંચાસર રોડ જુના ઉમા હોલની સામે શોપીંગ સેન્ટર પાસે તે હતા ત્યારે ત્રણેય આરોપીઓએ વારા ફરતી ત્યાં આવીને ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને મુંઢ ઈજા કરી હતી તેમજ આરોપી વનરાજભાઈ હુંબલે ફરિયાદીને પોતાના હાથમાં રહેલ લોખંડની ટામી વડે એક ઘા છાતીની ડાબી સાઈડે પાંસળીઓમાં માર્યો હતો જેથી કરીને તેને ત્રણ પાંસળીઓમાં ઈજા થયેલ હતી અને આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આઇ.પી.સી કલમ ૩૨૫૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ- ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે અને આ બનાવ વિષે ભોગ બનેલા યુવાનના ભાઈની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે વનરાજભાઈ હુંબલે ધંધાની હરીફાઈનો ખાર રાખીને તેના ભાઈને માર માર્યો છે વધુમાં મળતી માહિતી મુજબ વનરાજભાઈ હુંબલ અને હુશેનભાઈ પહેલ ફરિયાદીને ત્યાં કામ કરતાં હતા અને બે દિવસ પહેલા તેની સાથે ફોનમાં વાત થયેલ હતી જે બાબતે કેમ ફોનમાં ધમકી આપતો હતો તેવું કહીને તેને આ ત્રણેય શખ્સોએ ફરિયાદી યુવાનને માર માર્યો હતો






Latest News