મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર પીલુડી ગામના યુવાને મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીના વાઘપર પીલુડી ગામના યુવાને મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામના રહેવાસી યુવાને મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેની બોડીને પાણીમાંથી કાઢીને પીએમ માટે લઈ ગયા હતા અને ત્યારબાદ મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહેતા દિલીપભાઈ નરસીભાઈ એરણીયા જાતે પટેલ (૪૬)  એ મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને  આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ પ્રફુલભાઈ નરસીભાઈ એરણીયા જાતે પટેલ (૪૧) રહે હાલ ઘૂટું તાલુકો મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મૃતક યુવાનના ભાઈ પ્રફુલભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મચ્છુ ડેમમાંથી તેના ભાઈની બોડી મળી હતી તેની સાથે પોલિસેને તેનું આધાર કાર્ડ અને પાનકાર્ડ મળી આવ્યું હતું જેના આધારે તેની ઓળખ કરીને પોલીસે તેની પાસે પહોંચી હતી ત્યારે તેને આપઘાતના આ બનાવ વિશે જાણ થઈ હતી અને તેના ભાઈ દિલીપભાઈ છેલ્લા ઘણા સમયથી રખડતું ભટકતું જીવન જીવતા હતા જોકે તેને ક્યા કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે.






Latest News