મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

ખાનગી શાળા-હોસ્પિટલોની જેમ જ સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીની સુવિધાઓની ચકાસણી થવી જોઈએ : મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ


SHARE











ખાનગી શાળા-હોસ્પિટલોની જેમ જ સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીની સુવિધાઓની ચકાસણી થવી જોઈએ : મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ

રાજકોટ ગેમઝોનમાં અગ્નીકાંડ પછી સરકારી કામોમાં ગતી આવેલ છે દરેક ખાનગી હોસ્પીટલ તથા શાળામાં ફાયરસેફટીના સાધનો વસાવવા જોઇએ સાથે-સાથે સરકારી કચેરીઓમાં પણ તેનો અમલ થવો જરૂરી છે.

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવેલ છે કે, રાજકોટમાં સર્જાયેલ અગ્નીકાંડની ઘટના બાદ સરકારે ઝડપથી કામગીરી શરૂ કરેલ છે તે અભિનંદનને પાત્ર છે.હાલે સરકારી અધિકારીઓ શાળાઓ, ખાનગી હોસ્પીટલો, છાત્રાલયો જેવી દરેક જગ્યાઓએ ફાયર સેફટીના સાધનો માટે તાકીદ કરી રહયાં છે.પરંતુ પ્રજાનો જયાં દરરોજ ધસારો રહે છે તે સરકારી કચેરીઓ જેમ કે કલેકટર કચેરી, જીલ્લા-તાલુકા પંચાયત, નગરપાલીકા, પોસ્ટ ઓફીસ, સેવા સદન, જાહેર લાઇબ્રેરી, શાક માર્કીટ, બેંકો તથા અન્ય કચેરીમાં પણ માણસો કામસર આવે છે જયાં ખુબ જ ભીડ હોય છે.ત્યાં ફાયર સેફટીનાં સાધનો નથી હોતા માટે તાત્કાલીક આવી જગ્યાઓએ ફાયર સેફટીના સાધનો મુકાવીને પ્રજાને સંતોષ અને સલામતી આપવી જોઇએ.ર્દુઘટના કયારે બને તેનુ કડઇ નકકી નથી.તો આ બાબતે સરકાર તાત્કાલીક આદેશ કરે અને તે માટે જરૂરી ગ્રાન્ટ મંજુર કરે તેવી અપેક્ષા મોરબીવાસીઓ વતી મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ વ્યકત કરેલ છે






Latest News