ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે યજ્ઞ યોજાયો


SHARE











મોરબીના વનાળીયા ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે યજ્ઞ યોજાયો

મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામો અને ગુજરાતભરમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે. શરદપુનમ નિમિતે ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળામાતાજીના વનાળીયા(શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞ યોજાયો હતો જેમાં યજમાન તરીકે રમેશભાઈ શાંતિભાઈ ભટ્ટ બેઠા હતા અને યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી તેજશભાઈ ભટ્ટ, હર્ષદીપ લલિતભાઈ ભટ્ટ સહિતના ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ કરવી હતી આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ એલ.ભટૃ, જે.પી.ભટૃ, દિનેશભાઈ છોટાલાલ ભટ્ટ(મોરબી), દીપકભાઈ નાનાલાલ ભટ્ટ(વનાળીયા) સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આગામી શરદપૂનમના દિવસે યોજનારા શાંતિ યજ્ઞમાં યજમાન તરીકે મૂળ બિલિયા હાલ જામનગર નિવાસી સુરેશભાઇ  અનંતરાય ભટ્ટ તેમજ મૂળ વનાળિયા અને હાલમાં રાજકોટ રહેતા કલ્પેશભાઇ રમેશભાઈ ભટ્ટ બેસવાના છે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News