મોરબીના વનાળીયા ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે યજ્ઞ યોજાયો
Morbi Today
મોરબી જિલ્લાના સવાડી ગામે કર્મભૂમિનું ઋણ અદા કરતો લહેરૂ પરિવાર
SHARE
મોરબી જિલ્લાના સવાડી ગામે કર્મભૂમિનું ઋણ અદા કરતો લહેરૂ પરિવાર
મોરબીના ડો.બી.કે.લહેરૂએ તેઓના પિતા ડો. કે.ટી. લહેરૂ તથા માતા ડો. ભાનુબેન કે. લહેરૂ કે જેઓએ સાવડી ગામે સને ૧૯૬૬ થી ૧૯૭૮ સુધી આરોગ્ય શાખામાં સર્વિસ કરેલ તેમના સ્મરણાર્થે સાવડી ગામે જામનગર મેઇન રોડ ઉપર રૂપિયા ૪.૨૧ લાખના ખર્ચે રજવાડી પ્રવેશ દ્વારનું નિર્માણ કરાવીને ઉદ્ઘાટન કર્યુ હતુ. જેમાં સાવડી ગામના સરપંચ પ્રભાબેન હેમંતભાઈ ભાગીય તથા સમસ્ત ગ્રામજનોએ હાજરી આપેલ તે ઉપરાંત મોરબી બ્રહ્મસમાજના ડો.અનિલભાઇ મહેતા, મહેશભાઇ ભટ્ટ, વિનુભાઇ ભટ્ટ, એન.એન.ભટ્ટ, કિશનભાઇ ઉપાધ્યાય, અંતાણીભાઇ , ભુપતભાઇ પંડયા તથા સમસ્ત લહેરૂ પરિવારે હાજરી આપીને ઉદ્ધાટન કર્યુ હતુ.









