સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

માળીયા (મિં.)ના બગસરા ગામે પીવાના પાણીના ધાંધીયાથી ગ્રામજનો ત્રાહિમામ


SHARE











માળીયા (મિં.)ના બગસરા ગામે પીવાના પાણીના ધાંધીયાથી ગ્રામજનો ત્રાહિમામ

માળીયા(મિં.) તાલુકાના બગસરા ગામે પીવાનું પાણી પુરતુ આવતુ નથી જેથી કરીને ગ્રામજનો તેમજ ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રની બેદરકારીના લીધે ગામના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને આ ગામ મોરબી જીલ્લાના માળીયા તાલુકાનું છેવાડાનું ગામ છે ત્યાં અંદાજે ૨૦૦૦ લોકોની વસ્તી છે અને ૭૦૦  જેટલા માલઢોર છે તો પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે આ મુદે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તેમજ સંલગ્ન તંત્રને ગ્રામ પંચાયત દ્વારા લેખીત રજુઆતો તથા ફોન દ્વારા છેલ્લા ચારેક વર્ષથી અનેક રજુઆતો કરવામાં આવેલ છે તો પણ આજ સુધી ગામમાં પાણી યોગ્ય રીતે મળી રહે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી પાયાના પ્રશ્ન ઉકેલાય તેમાં નેતા કે પછી અધિકારીને કોઈ રસ નથી તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે






Latest News