મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું !


SHARE













મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું !

મોરબીના લાલબાગ સેવા સદન ખાતે પાર્કિંગની જગ્યામાં જ્યાં નોટરીઓ પોતાના ટેબલ રાખીને બેઠા હોય છે અને ત્યાં છાયડા માટે જે વૃક્ષો હતા તે વૃક્ષોનું રવિવારે બપોરના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે અને એક કે બે નહીં પરંતુ અનેક વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે જેથી કરીને વૃક્ષ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે એક બાજુ વૃક્ષો ઉગાડવા માટેની સરકાર અને સરકારી તંત્ર દ્વારા વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ સરકારી કચેરીના પટાંગણમાં આવેલા વૃક્ષોનું ધોળા દિવસે નિકંદન કાઢી નાખવામાં આવે છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ વૃક્ષોને કાપવા માટે થઈને કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા સૂચના આપવામાં આવી હતી કે પછી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પોતાની જાતે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે ? આ દિશામાં તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વૃક્ષ પ્રેમીઓ સહિતા લોકો વ્યક્ત કરી રહ્યા છે






Latest News