સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું !


SHARE











મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું !

મોરબીના લાલબાગ સેવા સદન ખાતે પાર્કિંગની જગ્યામાં જ્યાં નોટરીઓ પોતાના ટેબલ રાખીને બેઠા હોય છે અને ત્યાં છાયડા માટે જે વૃક્ષો હતા તે વૃક્ષોનું રવિવારે બપોરના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે અને એક કે બે નહીં પરંતુ અનેક વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે જેથી કરીને વૃક્ષ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે એક બાજુ વૃક્ષો ઉગાડવા માટેની સરકાર અને સરકારી તંત્ર દ્વારા વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ સરકારી કચેરીના પટાંગણમાં આવેલા વૃક્ષોનું ધોળા દિવસે નિકંદન કાઢી નાખવામાં આવે છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ વૃક્ષોને કાપવા માટે થઈને કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા સૂચના આપવામાં આવી હતી કે પછી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પોતાની જાતે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે ? આ દિશામાં તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વૃક્ષ પ્રેમીઓ સહિતા લોકો વ્યક્ત કરી રહ્યા છે






Latest News