મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ
Breaking news
Morbi Today

વ્યાજખોરોનો ત્રાસ પોલીસ પરિવાર સુધી પહોચ્યો: પોલીસમેનના માતા-પિતાએ જીવન ટૂંકાવ્યું


SHARE











વ્યાજખોરોનો ત્રાસ પોલીસ પરિવાર સુધી પહોચ્યો: પોલીસમેનના માતા-પિતાએ જીવન ટૂંકાવ્યું

રાજકોટમાં હવે વ્યાજખોરોનો ત્રાસ પોલીસ પરિવાર સુધી પણ પહોંચી ગયો છે. વ્યાજંકવાદના વમણમાં પોલીસમેનના માતા-પિતાનો આપઘાત કરતા ચકચાર મચી છે. રાજકોટ શહેર પોલીસમાં હાલ સ્પેશ્યલ બ્રાંચના ચૂંટણી સેલમાં ફરજ બજાવતા મિલનભાઈ ખુંટના પિતા નિલેશભાઈ અને માતા ભારતીબેને ટંકારા તાલુકાના છત્તર ગામે પ્રાથમિક શાળા પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ મૃતક દંપતી હડાળા ગામે રહેતા હતા. અને રાજકોટમાં પુનિતનગર ટાંકા પાસે મકાઈના ડોડાની રેકડી રાખી વેપાર કરતા હતા.

બનાવની વિગત મુજબ, નિલેશભાઈ મનસુખભાઈ ખુંટ (૪૫) અને તેના પત્ની ભારતીબેન (૪૩)એ ગઈકાલે બપોરે બે વાગ્યે ટંકારાના છત્તર ગામમાં આવેલી પ્રાથમિક શાળા નજીક ઝેરી દવા પી લીધી હતી. અને કોઈએ દંપતીને જોઈ લેતા ૧૦૮ ને જાણ કરી હતી જેથી કરીને ૧૦૮ ની ટિમ ત્યાં પહોચી હતી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેઓને લઈને આવ્યા હતા ત્યાં બંનેના મોત નીપજયાં છે આ બનાવની જાણ થતાં ટંકારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવેલ હતો અને બંનેના મૃતદેહ પીએમ અર્થે ખસેડયા હતા. અને એલઆરડી તરીકે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મિલનભાઈ મૃતક દંપતીના એક માત્ર સંતાન છે. જેને જાણ થતાં તે પણ સગા સંબંધી અને પરિવાર સાથે હોસ્પિટલે દોડી આવેલ હતા અને પ્રાથમિક તબક્કે નિલેશભાઈને આર્થિક સંકળામણ હતી. તેણે કોઈ વ્યાજખોર પાસેથી રૂપિયા લીધેલા હતા અને તેના ત્રાસથી દંપતીએ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને મૃતક દંપતી હડાળા ગામે રહેતા હતા અને રાજકોટમાં પુનિતનગર ટાંકા પાસે મકાઈના ડોડાની રેકડી રાખી વેપાર કરતા હતા

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બનાવ બન્યા પછી ટંકારા પોલીસનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. અત્રે મૃતકના પુત્ર મિલનભાઈનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી. હાલ માતા-પિતા ગુમાવનાર મિલન આઘાતની સ્થિતિમાં હોય, અંતિમ વિધિ પૂર્ણ કરી નિવેદન આપશે તેમ જણાવતા, પોલીસે નોંધ લઈ આગળની કાગળ કાર્યવાહી કરી હતી. અને મિલનભાઈએ પત્રકારને જણાવ્યું હતું. કે, તેમના પિતાના મોબાઈલમાં વિગતો હોય શકે છે. તેનો લોક ખોલવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત મોબાઈલ કોલ ડિટેઇલ્સ પણ મેળવી તેમાંથી આરોપીઓના નામ મળે તેવી સંભાવના છે. જેથી કરીને ટંકારા પોલીસ સ્ટેશને મરવા મજબૂર કર્યા અને મની લેન્ડ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે વધુમાં નિલેશભાઇએ એવું પણ જણાવ્યુ હતું કે ગત સોમવારે તેમને તેના પિતા નિલેશભાઈનો ફોન આવ્યો હતો ત્યારે તેઓએ કહ્યું હતુ કે, વ્યાજખોરો ખૂબ દબાણ કરે છે. હવે પ્રેશર વધી ગયું છે.




Latest News