મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ મોરબી અગાઉ કરેલ ફરિયાદ અને રૂપિયાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર ધાક ધમકી વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે
Breaking news
Morbi Today

ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી હોય અમારી માંગણીઓ હવે સંતોષાશે !: અલ્પેશ કથીરીયા


SHARE











પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન અલ્પેશભાઈ કથીરિયા આજે મોરબી આવ્યા હતા ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સરદાર સોસાયટી ખાતે પાટીદાર આંદોલન સમિતિની સાથે જોડાયેલા યુવાનો, આગેવાનો સહિત લોકો સાથે મુલાકાત કરી હતી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો પણ ત્યાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને તેમને પોતાની વાતમાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન સમયે પાટીદાર સમાજના 14 દીકરાઓ શહીદ થયા હતા તેના પરિવારજનોમાંથી કોઈ એક સભ્યને સરકારી નોકરી મળે તેમજ પાટીદાર સમાજના યુવાનો સામે જે પોલીસ કેસ કરવામાં આવે છે તેને પાછા ખેંચવા માટે અમારી માંગણી છે તે હાલમાં પણ અમારી માંગણી ઉભી છે અને હવે જ્યારે પાટીદાર સમાજના મુખ્યમંત્રી ગુજરાતમાં સત્તા ઉપર છે ત્યારે અમારી માગણી વહેલી તકે પૂરી કરવામાં આવશે તેવી અમને અપેક્ષા છે 

મોરબી શહેરના બાયપાસ રોડ ઉપર આવેલ સરદાર સોસાયટી ખાતે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન અલ્પેશભાઈ કથીરિયા આવ્યા હતા ત્યારે તેમની સાથે દિનેશભાઈ બાંભણીયા, મનોજભાઈ પનારા, મનોજભાઈ કાલરીયા, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઇ પટેલ, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબીયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને આ તકે તેમણે આગેવાનો અને યુવાનોની સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન જે ગુજરાત રાજ્યની અંદર ચલાવ્યું હતું તેના કારણે આજે ગુજરાતની દોઢસો જેટલી જ્ઞાતિના યુવાનોને અનામતનો લાભ મળી રહ્યો છે અને આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર સમાજના 14 જેટલા દીકરાઓ શહીદ થયા હતા અને તેના પરિવારજનોમાંથી કોઈ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગણી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કરવામાં આવી હતી જોકે હજુ સુધી તે માંગણી સંતોષવામાં આવી નથી તેવી જ રીતે પાટીદાર સમાજના યુવાનોની સામે પોલીસ કેસ કરવામાં આવેલ છે તેને પાછા ખેંચવામાં આવે તેવી પણ માંગ પાટીદાર અનામત આંદોલન સમિતિએ કરે છે પરંતુ હજુ કેસ પાછા ખેંચાયા નથી ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાટીદાર સમાજમાંથી ભુપેન્દ્રભાઈ પટેલ બેઠા છે ત્યારે પાટીદાર સમાજની જે માંગણીઓ છે તે વહેલી તકે સંતોષવામાં આવશે તેવી અપેક્ષા છે






Latest News