મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનો ફાઈનલ યોજાયો


SHARE







મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનો ફાઈનલ યોજાયો

પોતાની વિવિધતા સભર પ્રવૃત્તિઓ થકી સમગ્ર મોરબીમાં આગવી ઓળખ ધરાવતા કોમનમેન ફાઉન્ડેશન દ્વારા મોરબીના 15 વર્ષથી મોટી ઉંમરના બહેનો માટેની વકતૃત્વ સ્પધૉનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના સેમીફાઈનલમાં 15 થી 79 વર્ષના 100 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો જેમાંથી 21 બહેનોની ફાઈનલ રાઉન્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. જે ફાઈનલ રાઉન્ડ પી જી પટેલ કોલેજ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં વ્યસનથી થતા નુકસાન, તેના કારણો, દુર કરવાના ઉપાયો વગેરેની સાહિત્ય સભર સ્ક્રીપ્ટ અને બહેતરીન રજૂઆત કરી બહેનોએ દિલ જીતી લીધું હતું. જેમાં પ્રથમ ક્રમે વિધી પંડ્યા, દ્વિતીય ક્રમે અવની વાઢેર અને તૃતીય ક્રમે પુજા ભેસદડીયા અને દિશા ધામેચાને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા વક્તા અને એન્કર રવીન્દ્રભાઈ ત્રિવેદી, જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, તથા માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા તથા જ્યુરી મેમ્બર્સ તરીકે જ્યુરી તરીકે વિજયભાઈ રાવલ, ડો ભાવિનભાઈ ગામી, સંજયભાઈ બાપોદરીયા, શૈલેષભાઈ કાલરીયા, શૈલેષભાઈ ઝાલરીયા, ડો. અમિષા રાચ્છ, શોભનાબા ઝાલા, નિશાબેન દવે,અંજનાબેન તલસાણીયા, અનિતાબેન દોશી એ સેવાઓ આપી હતી. આ કાર્યક્રમની ભુમિકા બાંધતાં મોરબીના જાણિતા ડોક્ટર, લેખક અને વક્તા તથા કોમનમેન ફાઉન્ડેશનના સુપ્રીમો ડો સતિષભાઈ પટેલે સંસ્થાની પ્રવૃતિઓની છણાવટ પોતાની આગવી શૈલીમાં કરી હતી તો કોલેજના પ્રિન્સિપાલ ડો રવીન્દ્રભાઈ ભટ્ટે આ પ્રકારની સાહિત્યક પ્રવૃતિઓ પોતાના પ્રાંગણમાં થવાનો આનંદ વ્યક્ત કરી સૌ ને આવકાર્યા હતા. આ સ્પર્ધાના કન્વીનર આરતિબેન રાંકજાએ સ્પર્ધાને મળેલા બહોળા પ્રતિસાદને વધાવી વ્યસન મુક્ત સમાજ માટે મહિલાઓના યોગદાનની માહિતી આપી હતી. આ સ્પર્ધાના વિજેતાઓને કોમનમેન ફાઉન્ડેશન તરફથી આગામી ૩૧/૫ ના રોજ ઈનામ આપવામાં આવશે. બાકીના તમામ સ્પર્ધકોને નિર્ણાયકો વતી પ્રોત્સાહક ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો રવીન્દ્રભાઈ ભટ્ટ તથા પી.જી. પટેલ કોલેજ સ્ટાફ, ડો. પ્રેયસ પંડ્યા, આરતીબહેન રાંકજા, ધરતીબહેન બરાસરા, ભક્તિબહેન કાનાણી, ચંદ્રાસાલાભાઇ, બરાસરાભાઇ  સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.






Latest News