મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનને માર મારીને ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE











વાંકાનેરમાં યુવાનને માર મારીને ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ શખ્સો સામે ફરિયાદ

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ડીલક્ષ પાનની સામેના ભાગમાં યુવાનને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને બે શખ્સો દ્વારા ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ તે યુવાનને પ્લાસ્ટિકના કેરેટ અને પથ્થર વડે શરીર ઉપર આડેધડ માર મારીને ઇજા કરી હતી આટલું જ નહીં ચા બનાવવાના લોખંડના ચમચા વડે તેને નેણના ભાગે માર મારીને ઈજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી શિવાજી પાર્ક શેરી નં-૩ માં રહેતા મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૩૩)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કાળુભાઈ મોગલ અને અકબરભાઈ ફકીર રહે. બંને સીટી સ્ટેશન રોડ વાંકાનેર તથા એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી કાળુભાઈ અને અકબરભાઈએ તેના ફોનમાં ફોન કરી સ્પીકર ફોન ઉપર તેને ગાળો આપી હતી અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને અકબરભાઈ તેમજ અજાણ્યા શખ્સ દ્વારા તેને પથ્થર અને પ્લાસ્ટિકના કેરેટ વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી અને અકબરભાઈએ ચા બનાવવાનો ચમચો ફરિયાદી યુવાનને નેણના ભાગે મારીને ઈજા કરેલ છે જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આગળની વધુ તપાસ વાલજીભાઈ રામજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે






Latest News