મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી મારામારી-એટ્રોસીટીના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીના ચકચારી મારામારી-એટ્રોસીટીના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીના સેસન્સ કોર્ટમાં મોરબીનો ચકચારી મારામારી તથા એટ્રોસીટી કેશ ચાલી ગગયો હતો જેમાં આરોપીઓ ભગવાનજી ઉર્ફે ભગો, દેવાભાઈ ઉર્ફે દેવો રાજુભાઈ મુંજારીયા,મોહીનભાઈ ઈસ્માઈલભાઈ ચાલીયાઓનો નિર્દોષ છુટકારો થયેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી ભગવાનજી ઉર્ફે ભગો અને ફરીયાદીના પરીવાર વચ્ચે મોટરસાઈકલ અકસ્માત બાબતે ઝઘડો થયેલ તે બાબાતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી જે દુકાનમાં કામ કરે છે ત્યાં જઈ ફરીયાદીને દુકાન નીચે બોલાવીને ફરીયાદી નીચે આવતાં ત્રણેય આરોપીઓએ એકસંપ કરી એકબીજાને મદદગારી કરી જાહેરમાં લોકોની હાજરીમાં ભુંડા ગાળો આપી ફરીયાદીને માથામાં, મોઢે તથા હાથમાં આડેધડ હથીયાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપીઓએ ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત અને હડધુત કરેલ તે બાબતની ફરિયાદ નોંધાયેલ છે જે ગુનામાં તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.

આ કેસ મોરબીના બીજા એડી. ડિસ્ટ્રી. જજ વી.એ.બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં  આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા. આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા  દલીલ કરવામાં આવેલ કે, આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદન નિષ્ફળ રહેલ છે અને કોર્ટમાં દલીલ કરેલ કે, જયા 'સુધી આરોપીઓ સામે સરકાર શંકારહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ વધુમાં સુપ્રીમ અને હાઈકોર્ટ આપેલ જે ચુકાદા હતા તેના આધારે આરોપીઓ તદ્દન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી હતી આ કેસમાં બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલોને માનીને કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા અને ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા.






Latest News