મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં Book Review નો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની પી.જી. પટેલ કોલેજમાં Book Review નો કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસકાળ દરમિયાન પાઠ્યપુસ્તકોનું અભ્યાસ તો કરતા જ હોય છે પરંતુ સાથોસાથ પાઠ્યપુસ્તક સિવાયના જીવન ઉપયોગી પુસ્તકોનો અભ્યાસ પણ કરે અને વિદ્યાર્થીઓને ઈતર વાંચનનો રસ કેળવાય તેવા ઉંમદા હેતુથી મોરબીની પી.જી. પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય  ડો.રવિન્દ્ર ભટ્ટ ની રાહબરી હેઠળ Book Review શીર્ષક હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ પોતાની રસ રુચી મુજબ એક ચોક્કસ બુકનો અભ્યાસ કરી આ બુક અંગે પોતાના મંતવ્યો અને વિચારો રજૂ કરવાનુ પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં પ્રથમ ક્રમે પરમાર મીરા (FY B.Com), દ્વિતીય ક્રમે જોષી અક્ષીતા (TY BBA) અને તૃતીય ક્રમે સરધારા કૃપેશા (SY B.Com) રહ્યા હતા. આ તકે કોલેજના આચાર્ય તથા તમામ સ્ટાફગણે તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કોલેજના મહિલા પ્રાધ્યાપક ડો.કાજલ પાઘડાળ દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News