મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે સિરામીક કારખાનાના ક્વાર્ટરમાં ગેસ લીકેજથી આગ: પાંચ યુવાન સારવારમાં


SHARE











વાંકાનેરના માટેલ રોડે સિરામીક કારખાનાના ક્વાર્ટરમાં ગેસ લીકેજથી આગ: પાંચ યુવાન સારવારમાં

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સિરામીક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં અચાનક ગેસ સિલિન્ડરમાં નળી લિકેજ થઈ હતી જેથી કરીને અચાનક આગ ભભુકી ઉઠી હતી જેમાં કુલ પાંચ જેટલા મજુર યુવાનોને ઈજાઓ થઈ હતી જેથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામીક નામનાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં આજે સવારે રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરની નળીમાં લિકેજ થયું હતું જેથી કરીને અચાનક આગ લાગી હતી જેથી કરીને ત્યાં રહેતા આશિષ બંજારા (૧૯), રાહુલભાઈ કુશવાહ (૨૩), લક્ષ્મણ કહાર (૨૦), હિતેશ કુશવાહ (૨૩), વિકાસ બંજારા (૨૦) સહિત પાંચ શખ્સોને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જે પાંચ યુવાનોને ઇજા થયેલ છે તેમાંથી લક્ષ્મણભાઈ, આશિષભાઇ અને વિકાસભાઈને સારવાર માટે રાજકોટ સિવિલમાં લઈ ગયેલ છે અને હિતેશભાઈ તેમજ રાહુલભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે






Latest News