મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે રોકેટ સાયન્સ તથા અંધશ્રદ્ધા જાગૃતિ અંગે વિજ્ઞાન પ્રોજેક્ટ યોજાયો


SHARE











મોરબીની ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે રોકેટ સાયન્સ તથા અંધશ્રદ્ધા જાગૃતિ અંગે વિજ્ઞાન પ્રોજેક્ટ યોજાયો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તથા વિશ્વ સાક્ષરતા દિવસનાં અનુસંધાને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તથા વિશ્વ સાક્ષરતા દિવસેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થિનીઓને અંધશ્રદ્ધા જાગૃતિ તેમજ રોકેટ વિજ્ઞાન જેમાં વિધાર્થિનીઓને વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા મટીરીયલમાંથી માર્ગદર્શન પ્રમાણે જાતે રોકેટ બનાવ્યા હતા અને પોતાની જાતે રોકેટ લોન્ચ કર્યા હતા.શ્રીમતિ એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ મોરબી ખાતે રોકેટ સાયન્સ તથા અંધશ્રદ્ધા જાગૃતિ વિજ્ઞાન પ્રોજેક્ટની રજુઆત લોક વિજ્ઞાન કેન્દ્રના દિપેનભાઈ ભટ્ટ તરફથી કરવામાં આવી હતી.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તથા વિશ્વ સાક્ષરતા દિવસે શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ, સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સોસાયટી ટ્રસ્ટીઓ પ્રદીપભાઈ, રજનીશભાઈ તેમજ દેવાંગભાઈ તથા આચાર્યા નિમાવત મેડમ, ઉષાબેન જાદવ, તથા સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારાં પૂર્ણ સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

નવરંગ નેચરલ કલબ
નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે સનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે તા.૧૦ ને રવિવારે સવારે ૮ થી ૧ દરેક જાતના ફુલ છોડના કલમી રોપા ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો,, ચંપો દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર,સુધ્ધ ચોખ્ખું મધ, હરીપર જાનકી ઓઈલ મીલનુ ઘાણીથી પીલેલ કાળા-સફેદ તલનુ તેલ, ગાય આધારિત ફીનાઈલ, ગૌમુત્ર અર્ક, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા જાળના કુંડા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મળસે તેમ પ્રમુખ વી.ડી.બાલા તેમજ લવજીભાઈ પ્રજાપતિએ યાદીમાં જણાવેલ છે.





Latest News