મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારાની લજાઈ ચોકડીએ ટ્રાફિક-અકસ્માત નિવારવા ઓવરબ્રિજની માંગ


SHARE







ટંકારાની લજાઈ ચોકડીએ ટ્રાફિક-અકસ્માત નિવારવા ઓવરબ્રિજની માંગ

ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ ચોકડીએ ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાને નિવારવા માટે હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, લજાઈ ચોકડીએ  ઓવરબ્રીજ બનાવવામાં આવે તો ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાને નિવારી શકાય તેમ છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામે હરી પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ગઢવીએ હાલમાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે અને જેમાં તેને ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ ચોકડીએ ઓવરબ્રીજ બનાવવાની માંગ કરેલ છે વધુમાં તેને જણાવ્યુ છે કે, ટંકારાથી મોરબી બાજુ આવવાના રસ્તમાં લજાઈ ચોકડી આવે છે ત્યાંથી વાંકાનેર તરફ થઈને અમદાવાદ બાજુ જવાના વાહનો સહિતના વાહનોનો ટ્રાફિક રહે છે જેથી કરીને લજાઈ ચોકડી પાસે ટ્રાફીક જામ તેમજ અકસ્માતો નિવારવા માટે વહેલી તકે ઓવરબ્રીજ બનાવવામાં આવે તે જરૂરી છે વધુમાં જણાવ્યુ છે કે, કચ્છથી સૌરાષ્ટ્ર તરફ જતાં વાહનોને આ એકમાત્ર રસ્તો છે જેથી પેસેન્જર તેમજ માલવાહક વાહનોનું પ્રમાણ ખુબ જ રહે છે. અને લજાઈ ચોકડી ટ્રાફિક પણ રહે છે જેથી અકસ્માતો નિવારવા અને ટ્રાફિક નિવારવા માટે ઓવરબ્રીજ બનાવવામાં આવે તે સમયની માંગ છે






Latest News