મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ હળવદ નજીકથી કતલખાને લઈ જવાતી 4 ભેંસને બચાવી, 2.12 લાખનો મુદામાલ કબ્જે: બે આરોપીની ધરપકડ હળવદના જુના અમરાપર ગામે શેરીમાં બાળકના રમવા બાબતે માથાકૂટ કરીને મહિલા અને તેની સાસુને પાઈપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી પત્રકાર એસો.એ કરેલ રજૂઆતને ધ્યાને લઈને સાંસદે રેલ્વે મંત્રીને પત્ર લખ્યો


SHARE











મોરબી પત્રકાર એસો.કરેલ રજૂઆતને ધ્યાને લઈને સાંસદે રેલ્વે મંત્રીને પત્ર લખ્યો

મોરબીમાં રજવાડાના સમયથી રેલ્વે સ્ટેશન છે જો કેઆજની તારીખે મુસાફરોને ત્યાંથી ડેમુ સિવાય રોજિંદા લાંબા અંતરની ટ્રેન મળી રહી નથી મોરબી પત્રકાર એસો. દ્વારા રેલવેના આધિકારીઓને તેમજ સ્થાનિક સાંસદ અને ધારાસભ્યને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેના આધારે સાંસદ દ્વારા હાલમાં રેલ્વે મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે

મોરબી શહેરના મુસાફરોને લાંબા અંતરની ટ્રેન માટે અન્ય જિલ્લાના રેલ્વે સ્ટેશન સુધી કે પછી વાંકાનેર જવું પડે પછી જ ટ્રેન મળે છે જેથી કરીને મોરબીના રેલ્વે સ્ટેશનેથી જ લાંબા અંતરની ટ્રેન મળે તેના માટે મોરબી પત્રકાર એસો. દ્વારા મોરબીના રેલ્વે સ્ટેશન સ્ટેશનના સુપ્રીન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વહેલી તકે લાંબા અંતરની ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જે આવેદનપત્રની કોપી સાંસદ મોહનભાઈ કુંડારીયાને પણ આપવામાં આવી હતી જેને ધ્યાને લઈને હાલમાં સંસદ મોહનભાઈ કુંડારિયાએ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી પત્રકાર એસોસિએશ દ્વારા મોરબીથી ટ્રેન માટે તેમજ વાંકાનેરમાં જુદીજુદી ટ્રેનના સ્ટોપેજ માટે રજૂઆત કરવામાં આવી છે જેને ધ્યાને લઈને નિર્ણય કરવામાં આવશે તો મોરબી અને વાકાનેરના રહેવાસીઓ અને મુસાફરોને ઘણો ફાયદો થશે






Latest News