હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામના ખેડૂતે પ્રાકૃતિક કૃષિ ખેતી કરતાં થયા માલામાલ


SHARE











મોરબીના ધરમપુર ગામના ખેડૂતે પ્રાકૃતિક કૃષિ ખેતી કરતાં થયા માલામાલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા ખેડૂતોની આવક ડબલ થાય અને કૃષિ ક્ષેત્રે ધરખમ ફેરફારો આવે એ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારના આ અભિગમને સુપેરે આગળ વધારી રહી છે પ્રાકૃતિક ખેતી પ્રણાલી. મોરબી જિલ્લામાં પણ અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી વિવિધ પાક લઈ રહ્યા છે. ત્યારે મોરબીના ધરમપુર ગામનાં પ્રાકૃતિક ખેતી કરતા મહેશ કુમારે જણાવ્યું હતું કે,"અમારા ગામમા મોટા ભાગના ખેડુતો પરંપરાગત ખેતી કરતા હતા. વર્ષો પહેલા આમારા વડીલો મગફળી એરંડા બાજરી જુવાર કઠોળ વગેરે પાકોનુ વાવેતર કરતા હતા. શરૂઆતમા એક એકરે બાજરીનું ૮૦ મણ કરતા પણ વધારે ઉત્પાદન મળતુ પણ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ગળતીયું ખાતરનો વપરાશ ઘટતો ગયો અને રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો ઉપયોગ વધતો ગયો જેથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી. બાજરીમાં એકરે ઉત્પાદન ૮૦ મણ માથી ૫૦-૬૦ મણ થવા લાગ્યું.

તેઓ જણાવ્યુ હતું કે, રાજ્યપાલના પ્રાકૃતિક ખેતીના સેમિનારમાં ભાગ લીધો હતો જેના પરથી અમને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી અને ફાર્મ પર ગાયોનો તબેલો બનાવ્યો અને રાસાયણિક ખાતરની જગ્યાએ ગળતીયું ખાતરનો ઉપયોગ કરવાનું  વિચાર્યુ. ઉત્પાદન વેચાણ માટે સોશિયલ મિડીયા દ્વારા જાહેરાત કરી જરૂરિયાત મુજબ સીધું ગ્રાહકને વેચાણ કરું છું. અને વધારાનુ ઉત્પાદન ઓપન માર્કેટમાં વેચું છું. આમ પ્રાકૃતિક કૃષિ કરવાથી ખર્ચ ઘટવા લાગ્યો અને આવકમાં વધારો થવા લાગ્યો. પ્રકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપ્તામાં વધારો થાય છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે. શુધ્ધ આહાર ખાવા માટે મળે છે અને પ્રાક્રુતિક ક્રુષિમાં ખર્ચ ઘટવાથી આવક વધારે મળે છે અને જમીન સુધરે છે. અત્રે ઉલેખનીય છે કે, મહેશકુમાર જ્યારે રાસાયણિક ખેતીથી ખેતી કરતા ત્યારે તેમને ૭૪૫૦૦ નો ખર્ચ થતો જેની સામે એક લાખ ૪૫ હજાર જેટલી આવક આવતી જેથી નફાનો ગાળો ૭૧,૫૦૦ જેટલો રહેતો. આજે જ્યારે તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ત્યારે તેમનો ખર્ચ ઘટીને ૬૯,૦૦૦ થઈ ગયો છે જ્યારે સામે આવક વધીને ૧,૯૦,૦૦૦ થઈ ગઈ છે જેથી નફાનો ગાળો પણ વધ્યો છે અત્યારે મહેશકુમાર ૧,૩૧,૦૦૦ જેટલો નફો સરળતાથી મેળવી રહ્યા છે આમ પ્રાકૃતિક ખેતી થકી તેમની જમીનની ગુણવત્તામાં સુધારો થયો છે સાથે સાથે તેમની આવકમાં પણ સારો એવો વધારો થયો છે.






Latest News