તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી રેલ્વે સ્ટેશથી સીધી લાંબા અંતરની ટ્રેન માટે પત્રકાર એસો.એ કરી રજૂઆત


SHARE











મોરબી રેલ્વ સ્ટેશથી સીધી લાંબા અંતરની ટ્રેન માટે પત્રકાર એસો.એ કરી રજૂઆત

મોરબીમાં રજવાડાના સમયથી રેલ્વે સ્ટેશન છે જો કે, આજની તારીખે મુસાફરોને ત્યાંથી ડેમુ સિવાય રોજિંદા લાંબા અંતરની ટ્રેન મળી રહી નથી જેથી કરીને મુસાફરોને અન્ય જિલ્લાના રેલ્વે સ્ટેશન સુધી કે પછી વાંકાનેર જવું પડે પછી જ ટ્રેન મળે છે જેથી કરીને મોરબીના રેલ્વે સ્ટેશનેથી જ લાંબા અંતરની ટ્રેન મળે તેના માટે મોરબી પત્રકાર એસો. દ્વારા મોરબીના રેલ્વે સ્ટેશન સ્ટેશનના સુપ્રીન્ટેન્ડન્ટ ધર્મેન્દ્ર યાદવ તેમજ એલ.પી.યાદવને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વહેલી તકે લાંબા અંતરની ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરી છે તેમજ વાંકાનેર ખાતે ટ્રેનને સ્ટોપ આપવામાં આવે તો મોરબીના મુસાફરોને લાભ થાય તેમ છે જેથી કરીને તેની પણ માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત મોરબી રેલ્વે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવે દ્વારા ૯.૯૮ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મુસાફરોને વધુમાં વધુ લાંબા અંતરની રેલ્વેની સુવિધા મળે તે પણ જરૂરી છે માટે આ રજૂઆત પત્રકાર એસો.-મોરબી દ્વારા કરવામાં આવેલ છે.આ તકે એસો.ના હોદેદારો તેમજ સભ્યો હાજર રહ્યા હતા.






Latest News