તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી ભોગ બનનાર સાથે મોરબીમાંથી પકડાયો


SHARE











વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી ભોગ બનનાર સાથે મોરબીમાંથી પકડાયો

મોરબીના પીપળીયા ગામની સીમ વિસ્તારમાં આવેલ કારખાનામાંથી વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લોની ટીમ દ્વારા અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવામાં આવ્યો હતો.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લોની ટીમ દ્વારા બાતમીના આધારે મોરબીના પીપળીયા ગામની સીમમાં આવેલ કયોર અર્થ પ્રોડક્ટ નામના યુનિટમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ફરાર આરોપી નિતીન જગદીશભાઈ વસાવા રહે.નવી નગર ભરથાણા તા.કરજણ જીલ્લો વડોદરા વાળો ભોગ બનનાર યુવતી સાથે મળી આવ્યો હતો.જેથી હાલ બંનેને વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લોની ટીમ દ્વારા તપાસના કામે વડોદરા લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

વૃદ્ધા સારવારમાં

માળિયા મીંયાણાની માલાણી શેરીમાં રહેતા મરીયમબેન આદમભાઈ માલાણી નામના સિતેર વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે તેઓ બાઈકના પાછળના ભાગેથી અકસ્માત નીચે પડી જતા ઈજા પામેલ હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ થતા તપાસ અધિકારી ડી.એ. વાગડિયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી.

મારામારીમા ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થવાથી સાગર હરજીભાઈ પરમાર (ઉમર ૨૪) નામના યુવાનને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર એ.એમ.જાપડીયા દ્વારા મારામારીના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર ઇજાઓ થવાથી બાબજીભાઈ પાસાજીભાઈ સમા (ઉંમર ૩૪) રહે.નંદાસર રાપર જી.કચ્છ ને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ બનાવવાની નોંધ કરી તપાસ કરી હતી






Latest News