મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે રામકથા જ્ઞાનયજ્ઞ યોજાયો


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે રામકથા જ્ઞાનયજ્ઞ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમ ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતી અને આ રામકથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોને ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા અને તેની સાથે ૧૦૮ રાંદલ માતાજીના લોટા, મેડીકલ કેમ્પ જેવાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી ગૃરુકૃપા સેવા સમિતિ દ્વારા રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળવિદુષી રત્નેશ્વરીદેવી (રતનબેન) તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યુ હતું આ કથામાં શિવ વિવાહરામ પ્રાગટયરામ સીતા વિવાહભરત મિલાપરાંદલ ઉત્સવયજ્ઞરામેશ્વર સ્થાપન જેવા ધાર્મિક પ્રસંગો ધામધુમથી ઉજવવામાં આવ્યા હતા અને આ કથામાં સંતોમહંતોસામાજિક અને રાજકીય આગેવાનો સહિતનાઓએ હાજરી આપી હતી અને મોરબી સહિત જુદા જુદા ગામના આગેવાનો સહિતના શ્રોતાઓએ કથાનો લાભ લીધેલ છે આ કથાની સાથે જ ૧૦૮ રાંદલ માતાજીના લોટા, મેડીકલ કેમ્પ જેવાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. અને શ્રોતાઓ માટે સમુહપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથાને સફળ બનાવવા જય માતાજી સેવા સમિતિના ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી. તેવું મુકેશભાઈ ભગતએ જણાવ્યુ છે






Latest News