ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે રામકથા જ્ઞાનયજ્ઞ યોજાયો


SHARE











મોરબીના રામધન આશ્રમ ખાતે રામકથા જ્ઞાનયજ્ઞ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમ ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતી અને આ રામકથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોને ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા અને તેની સાથે ૧૦૮ રાંદલ માતાજીના લોટા, મેડીકલ કેમ્પ જેવાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી ગૃરુકૃપા સેવા સમિતિ દ્વારા રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળવિદુષી રત્નેશ્વરીદેવી (રતનબેન) તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યુ હતું આ કથામાં શિવ વિવાહરામ પ્રાગટયરામ સીતા વિવાહભરત મિલાપરાંદલ ઉત્સવયજ્ઞરામેશ્વર સ્થાપન જેવા ધાર્મિક પ્રસંગો ધામધુમથી ઉજવવામાં આવ્યા હતા અને આ કથામાં સંતોમહંતોસામાજિક અને રાજકીય આગેવાનો સહિતનાઓએ હાજરી આપી હતી અને મોરબી સહિત જુદા જુદા ગામના આગેવાનો સહિતના શ્રોતાઓએ કથાનો લાભ લીધેલ છે આ કથાની સાથે જ ૧૦૮ રાંદલ માતાજીના લોટા, મેડીકલ કેમ્પ જેવાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. અને શ્રોતાઓ માટે સમુહપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથાને સફળ બનાવવા જય માતાજી સેવા સમિતિના ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી. તેવું મુકેશભાઈ ભગતએ જણાવ્યુ છે






Latest News