મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે રામકથા જ્ઞાનયજ્ઞ યોજાયો


SHARE











મોરબીના રામધન આશ્રમ ખાતે રામકથા જ્ઞાનયજ્ઞ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમ ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતી અને આ રામકથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોને ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા અને તેની સાથે ૧૦૮ રાંદલ માતાજીના લોટા, મેડીકલ કેમ્પ જેવાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી ગૃરુકૃપા સેવા સમિતિ દ્વારા રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળવિદુષી રત્નેશ્વરીદેવી (રતનબેન) તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યુ હતું આ કથામાં શિવ વિવાહરામ પ્રાગટયરામ સીતા વિવાહભરત મિલાપરાંદલ ઉત્સવયજ્ઞરામેશ્વર સ્થાપન જેવા ધાર્મિક પ્રસંગો ધામધુમથી ઉજવવામાં આવ્યા હતા અને આ કથામાં સંતોમહંતોસામાજિક અને રાજકીય આગેવાનો સહિતનાઓએ હાજરી આપી હતી અને મોરબી સહિત જુદા જુદા ગામના આગેવાનો સહિતના શ્રોતાઓએ કથાનો લાભ લીધેલ છે આ કથાની સાથે જ ૧૦૮ રાંદલ માતાજીના લોટા, મેડીકલ કેમ્પ જેવાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. અને શ્રોતાઓ માટે સમુહપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથાને સફળ બનાવવા જય માતાજી સેવા સમિતિના ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી. તેવું મુકેશભાઈ ભગતએ જણાવ્યુ છે






Latest News